SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ ૪ અનેકનો અર્થ અનંત થાય ત્યાં અંતનો અર્થ ગુણ લેવો જોઈએ. આ વ્યાખ્યા પ્રમાણે અર્થ થાય- અનંત ગુણાત્મક વસ્તુ જ અનેકાન્ત છે. પરંતુ જ્યાં અનેકનો અર્થ બે લેવામાં આવે ત્યાં અંતનો અર્થ ધર્મ થાય. ત્યારે એ અર્થ થાય-પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા બે ધર્મનો એક જ વસ્તુમાં હોવું અનેકાન છે. ગુણ અને ધર્મમાં કાંઈક અંતર છે. પ્રત્યેક વસ્તુમાં અનેક શક્તિઓ છે, જેને ગુણ અથવા ધર્મ કહેવાય છે. એમાંથી જે શક્તિઓ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થાય છે અથવા સાક્ષેપ થાય છે તેને ધર્મ કહે છે. જેવી રીતે નિત્યતાઅનિત્યતા, એકતા-અનેતા, સત્-અસતુ, મિત્રતા- અમિત્રતા આદિ. જે શક્તિઓ વિરોધાભાસથી રહીત છે, નિરપેક્ષ છે તેમને ગુણ કહે છે. જેવી રીતે આત્માનું જ્ઞાન, દર્શન, સુખ આદિ પુગલના રૂપ, રસ, ગંધ-આદિ. - જે ગુણોમાં પરસ્પર કોઈ વિરોધ નથી, એક વસ્તુમાં એમની એકી સાથે બધા જ વાદી પ્રતિવાદી સહજ સ્વીકાર કરી લે છે, પરંતુ જેમાં વિરોધ જેવું પ્રતિભાસિત થાય છે તેમને સ્યાદ્વાદી જ સ્વીકાર કરે છે અને બાકીના માણસો એમાંથી કોઈ એક પક્ષને ગ્રહણ કરી પક્ષપાતી બની જાય છે. એટલે અનેકાન્તની પરિભાષામાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓના પ્રકાશન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધ પ્રતીત થવાવાળા અને યુગલ જોવા મળે છે. એટલે વસ્તુ કેવળ અનેક ધર્મો (ગુણો) નોપિંડ નથી, પરંતુ પરસ્પર વિરોધી જોવામાં આવે એવા અનેક ધર્મ-યુગલોનું પિંડ છે. એ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા ધર્મોનો સ્યાદ્વાદ પોતાની સાપેક્ષ શૈલીથી પ્રતિપાદન કરે છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે. એ બધાનું ક્યન એકી સાથે તો સંભવ નથી, કારણકે શબ્દોની શક્તિ સીમિત છે, એ એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. એટલે અનંત ધર્મોમાં એક વિવક્ષિત ધર્મ મુખ્ય હોય છે, જેનું પ્રતિપાદન કરવામાં આવે છે. બાકી બધા અન્ય ધર્મ ગીણ હોય છે, કારણકે એના સંબંધમાં અત્યારે (હમણાં)કંઈ પણ કહેવામાં આવતું નથી. એ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ધર્મોની અપેક્ષાથી નથી. પરંતુ વ્યક્તાની ઈચ્છાનુસાર હોય છે. વિવક્ષા-અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહિ. વસ્તુમાં તો બધાં જ ધર્મો પ્રતિ સમય પોતાની પૂરી હેસિયતથી વિદ્યમાન રહે છે, એમાં મુખ્ય ગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વસ્તુમાં તો એ પરસ્પર વિરોધી પ્રતીત થવાવાળા ધર્મોને પોતામાં ધારણ કરવાની શક્તિ છે, એ તો એ વસ્તુમાં અનાદિ કાળ થી વિદ્યમાન છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy