SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સમજવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા- સંખ્યાદિ ભેદ કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદાં જુદાં નથી. આવું શ્રદ્ધાનકરવું. વળી, પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણકે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા તો પોતાના ભાવ, જે રાગાદિક છે, તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચય થી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અનેવ્રતાદિકને કદાચિત્કાર્યકારણપણું છે. તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા, પણ તે કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહકિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું. વ્યવહાર નય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિતવસ્તુનેન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નિચલી દશામાં પોતાને પણ વ્યવહારનયકાર્યકારી છે. પરંતુ વ્યવહારનયને ઉપચારમાત્રમાની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો તે કાર્યકારી થાય અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની “વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી જ રીતે નિશ્ચયને ન સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે. -શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નિશ્ચય- વ્યવહારાભાસ-અવલંબીઓનું નિરૂપણ હવે, નિશ્ચય-વ્યવહાર બંન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ - કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બેનય કહ્યા છે માટે અમારે તે બંન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળ નિશ્ચયભાસના અવલંબીઓનું કથન ક્યું હતું તે પ્રમાણે તો તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy