SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૮ વ્યવહારનય-ભેદ-પ્રભેઠક નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે આ વાત સ્પષ્ટ કરી હતી કે વ્યવહાર નયનું કાર્ય એક અખંડ વસ્તુમાં ભેદ કરીને તથા બે ભિન્ન વસ્તુમાં અભેદકરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવાનું છે. વ્યવહારનયની આ વિશેષતાને લક્ષમાં રાખીને એના મુખ્ય બે ભેદ કરવામાં આવે છે. ૧. સદ્ભુત વ્યવહાર નય ૨. અસદ્ભુત વ્યવહાર નય એક જ વસ્તુમાં ભેદ વ્યવહાર કરવાવાળો સદ્ભુત વ્યવહારનય છે અને ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદ કરવાવાળો અસભૂત વ્યવહાર નય છે. સદ્ભુત વ્યવહારનય અનંત ધર્માત્મક એક અખંડ વસ્તુઓમાં ગુણો, કર્મો, સ્વભાવો અને પર્યાયોના આધાર પર ભેદ કહે છે. અર્થાત્ ભેદ કરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કહે છે. આ ગુણ ધર્મ આદિ સભૂત છે. અર્થાત્ એ વિદ્યમાન છે, એ વસ્તુના જ ગુણધર્મ છે, જેમાં આ નય બતાવી રહ્યું છે, આ કારણથી તો આને સદ્ભૂત” કહેવામાં આવે છે. અખંડ વસ્તુઓમાં ગુણ –ધર્માદિના આધાર પર ભેદ ઉત્પન્ન કરે છે એ કારણ થી વ્યવહાર કહેવામાં આવે છે અને ભેઠાભેદરૂપ વસ્તુને ભેદાંશને ગ્રહણ કરવાવાળો હોવાથીન કહેવામાં આવે છે. અસદ્ભુત વ્યવહાર ન ભિન્ન દ્રવ્યોમાં સંયોગ સંબંધ આદિના આધાર પર અભેદ બતાવીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જ્યારે વસ્તુત: ભિન્ન દ્રવ્યોમાં અભેદ વસ્તુગત નથી, એટલે અસદ્ભુતવ્યવહાર નય કહે છે. સદ્ભુત અને અસદ્ભૂત-બંન્ને વ્યવહારના અનુપચરિત અને ઉપચરિતના ભેદથી બે-બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. અનુપચરિત સદ્ભુત વ્યવહારનય (શુદ્ધ સદ્ભૂતવ્યવહાર નય) ૨. ઉપચરિત સદ્ભુત વ્યવહારનય (અશુદ્ધ સદ્દભૂતવ્યવહાર નય) ૩. અનુપચરિત અસભૂત વ્યવહારનય(શુદ્ધ અસભૂત વ્યવહાર નય) ૪. ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય (અશુદ્ધ અસદ્દભૂત વ્યવહારનય) ઉદહરણ:૧. જીવના કેવળજ્ઞાનાદિ ગુણ છે. (નિરુપાધિગુણ-ગુણીના ભેદને વિષય કરવાવાળો) ૨. જીવના મતિજ્ઞાનાદિ ગુણ છે. (સોપાધિગુણ-ગુણીનાભેદોનેવિષય કરવાવાળો). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy