SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ આ પ્રમાણે જ્યારે નિર્મળ પર્યાયથી પણ પૃથતા સ્થાપિત કરીને પૂર્ણ શુદ્ધ ક્ષાયિકપર્યાયથી યુકત દ્રવ્યગ્રાહી શુદ્ધ નિશ્ચયનય પ્રગટ થાય છે, ત્યારે એકદેશ શુદ્ધપર્યાય નિષેધ થઈ જાય છે. નિષેધ થઈ જવાથી વ્યવહાર થઈ જાય છે. આ પ્રમાણે પોતાના પ્રયોજનની સિદ્ધિ કરતો થકો એકદેશ શુદ્ધ નિશ્ચય નય પણ નિષેધ થઈને વ્યવહારપણાને પ્રાપ્ત થઈ જાય છે અને સાક્ષાત શુદ્ધ નિશ્ચય નય પ્રગટ થાય છે. આ પ્રમાણે ક્રમશઃ અશુદ્ધ નિશ્ચયનય, એકદેશ શુદ્ધ નિશ્ચયનયને વ્યવહાર કહી-સાક્ષાત્ નિશ્ચયનય સુધી પહોંચાડી દીધા. જો કે ક્ષાયિક ભાવ સ્થાયી છે, અનંત છે, છતાં પણ અનાદિનો તો નથી જ. હું તો અનાદિ અનંતતત્ત્વછું . આ ક્ષાયિક પર્યાયથી પણ મારી શું મહિમા? હું તો એવો મહિમાવંત પદાર્થ છું કે જેમાં કેવળજ્ઞાન જેવી અનંત પર્યાયો નીકળી જાય તો પણ મારામાં કોઈ ખોટ (ઓછાઈ) આવવાની નથી. હું તો અખૂટ-અટૂટ પદાર્થ છું. કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ભાવની સંતતિની અપેક્ષા ભલે અનંતકાળ સુધી રહેવાની હોય, પરંતુ વસ્તુતઃ તો પર્યાય હોવાથી એક સમયમાત્રની જ છે ને હું તો માત્રક્ષાયિક ભાવ જેટલોનથી, એ તો મારામાં ઉત્પન્ન થનાર તરંગો છે. સાગર તરંગ માત્ર તો ન જ હોઈ શકે. જો કે તરંગો સાગરમાં જ ઉત્પન્ન થાય છે, છતાં પણ તરંગોને સાગર કહેવામાં નથી આવતું. સાગરની ગંભીરતા, સાગરની વિશાળતા આ લહેરોમાં ક્યાં છે? સાગર, સાગર છે અને લહેરો, લહેરો છે. સાગર લહેર નથી અને લહેર સાગર નથી. સાચું સત્ય તો એ જ છે, પરમાર્થ તો આ જ છે. એ પ્રમાણે પરમગ્રાહી શુદ્ધ નિશ્ચયનય, સાક્ષાશુદ્ધ નિશ્ચયનયનો નિષેધ કરતો થકો ઉદિત થાય છે અને સાક્ષાશુદ્ધ નિશ્ચય નય પણ વ્યવહાર બનીને રહી જાય છે. આ પ્રમાણે નિશ્ચય નયનાં ભેદ-અભેદ પરમશુદ્ધ નિશ્ચય નયના વિષયભૂતત્રિકાળીધુવતત્ત્વ સુધી લઈ જાય છે. બધા જ પ્રકારના નિશ્ચયનયોનું વાસ્તવિક પ્રયોજન તો આ જ છે. આ ધ્યેયના પૂરક બીજાપણ અનેક પ્રયોજન હોય છે, હોઈ શકે છે, પણ મૂળ પ્રયોજન તો આ જ છે. નતથા” શબ્દથી બધાનો નિષેધ કરવાવાળો- પરમશુદ્ધનિશ્ચયનય ક્યારે પણ કોઈ પણ નય દ્વારા નિષેધ નથી થતો; કિન્તુ એ બધાનો નિષેધ કરીને સ્વયં નિવૃત થઈ જાય છે અને નિર્વિકલ્પ આત્માનુભૂતિનો ઉદય થાય છે. વાસ્તવમાં આ આત્માનુભૂતિની પ્રાપ્તિ જ આ સંપૂર્ણ પ્રક્રિયાનું ફળ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy