SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ⭑ ૧૪૬ વાતકહેવામાં આવે છે. ‘તું તો નિર્મળ પર્યાયનો ધણી છે, કર્તા છે, ભોક્તા છે, વિકારી પર્યાયોનો નહિ’ આ એકઠેશ શુદ્ધ નિશ્ચયનયનું કથન એક પડાવ છે, ગંતવ્ય નહિ. આ આત્મા એક વખત રાગને પોતાનો માનવાનું છોડે, પછી નિર્મળ પર્યાય થી પણ આગળ લઈ જશે. રાગ તો નિષેધ કરવાયોગ્ય છે ને? જો રાગ નિષેધ કરવા યોગ્ય છે તો એ પોતાનો કેવી રીતે હોઈ શકે? જે નિષેધ્ય છે તે હું ન હોઈ શકું, હું તો પ્રતિપાદ્ય છું. રાગ નિષેધ્ય છે માટે વ્યવહાર છે. નિર્મલ પર્યાય કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલા માટે નિશ્ચય છે. નિર્મલ પર્યાયરૂપ નિશ્ચય વિકારરૂપ વ્યવહારનો નિષેધ કરતો, એનો અભાવ કરતો થકો ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકદેશ શુદ્ધનિશ્ચયનયનું પ્રયોજન નિર્મલ પર્યાયની ત્રિકાળી ધ્રુવની સાથે એકતા સ્થાપીત કરી, વિકારી પર્યાયથી પૃથક્તા સ્થાપીત કરવાની છે. વિકારી પર્યાયથી પૃથા સ્થાપીત થયા પછી હવે કહે છે કે એકદેશ યુદ્ધ નિશ્ચયનયે વિકારી પર્યાયથી ભિન્નતા બતાવવા માટે જે નિર્મળ પર્યાય સાથે અભેદ સ્થાપીત કર્યું હતું એ પણ અપૂર્ણ હોવાથી આત્માના સ્વભાવની સીમામાં કેવી રીતે આવી શકે? આત્માનો સ્વભાવ તો પરિપૂર્ણ છે, એના આશ્રયથી તો પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટ થવી જોઈએ . જો પરિપૂર્ણ સ્વભાવનો પરિપૂર્ણ આશ્રય હોય તો પછી અપૂર્ણ પર્યાય કેમ પ્રગટે? પર્યાયની આ અપૂર્ણતા, પરિપૂર્ણ સ્વભાવને અનુરૂપ નથી, અનુકૂળ પણ નથી. એટલે એને પણ એમાં કેમ ભેળવી શકાય? કેમ ભેળવીને રાખી શકાય? એકઠેશ શુદ્ધ નિશ્ચયનયરૂપ સાધકદશા તો પ્રસ્થાન છે, પહોંચવાનું સ્થાન નથી, પથ છે,ગંતવ્ય નહિ; સાધન છે, સાધ્ય નથી તથા હું તો પરિપૂર્ણ કેવળજ્ઞાન સ્વભાવી છું, હું તો અનંત અતિન્દ્રિય- આનંદનો કર્તા-ભોક્તા છું, હું તો અનંત ચતુષ્ટય લક્ષ્મીનો સ્વામી છું, છેવટે આ ક્ષયોપશમ ભાવથી મને શું લેવા દેવા? અને તેનો ભરોસો પણ શું? આજનો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ આવતી કાલે મિથ્યાદ્દષ્ટિ બની શકે છે. આજનો સારો ભલો વિદ્વાન કાલે સ્મૃતિ ભંગ હોવાથી અલ્પજ્ઞ થઈ જાય છે. આજનો ક્ષયોપશમ સંયમી કાલે અસંયમી બની શકે છે. નિર્મળ છે તો શું થયું? આ અપૂર્ણ તથા ક્ષણવંશી પર્યાય થી મને શું? આતો આવતી જતી છે. મારા જેવા સ્થાયી તત્ત્વનું એકત્ત્વ, સ્વામીત્ત્વ, કર્તૃત્ત્વ અને ભોકતૃત્ત્વ તો જ્ઞાયિક ભાવરૂપ ચિરસ્થાયી અનંત ચતુછ્યાદિથી જ થઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy