SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ અભેદ-અખંડ આત્મા છે, એના આશ્રય થી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. આ જ કારણથી એને ભૂતાર્થ કહેવામાં આવે છે. સમયસારમાં કહ્યું છે“જે જીવ ભૂતાઈ નો આશ્રય લે છે તે જીવ નિશ્ચય થી સમ્યગ્દષ્ટિ છે.’ આ બાબતમાં શ્રી કાનજી સ્વામી કહે છે, જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, અપેક્ષાથી કથન કહેવાવાળી છે. એટલે જયાં જે અપેક્ષા હોય ત્યાં તે સમજવું જોઈએ. પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરીને સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારનયને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. ત્રિકાળી, અભેદ, શુદ્ધદ્રવ્યની દષ્ટિ કરીને જીવને સમ્યગ્દર્શન થાય છે. એ પ્રયોજનને સિદ્ધ કરવાને માટે ત્રિકાળીદ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યો છે અને પર્યાયનું લક્ષ છોડાવવાને માટે એને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. આત્મા, અભેદ ત્રિકાળી ધ્રુવ છે. એની દષ્ટિ કરવાથી ભેદ જોવામાં નથી આવતા અને ભેદ દષ્ટિમાં નિર્વિકલ્પતા નથી હોતી. એટલા માટે અપ્રયોજન વશ ભેદને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. અનંત કાળમાં જન્મ-મરણના અંત કરવાવાળો બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયો નથી-એવા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનું પ્રયોજન સિદ્ધ કરવું છે, એનાથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરીને સત્યાર્થ કહ્યો છે અને પર્યાય તથા ભેદને ગૌણ કરીને વ્યવહાર કહીને એને અસત્યાર્થ કહ્યો છે. અહીંયા કહે છે કેત્રિકાળી અભેદ દષ્ટિમાં ભેદ જોવામાં નથી આવતા. એનાથી એનીદષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવામાં આવે છે. કિન્તુ એવું ન સમજતા કે ભેદરૂપ કોઈ વસ્તુ નથી, દ્રવ્યમાં ગુણ છે જ નહિ, પર્યાય છે જ નહિ, ભેદ છે જ નહિ, આત્મામાં અનેક ગુણ છે અને બધા નિર્મળ છે. દ્દષ્ટિનાં વિષયમાં ગુણોનો ભેદ નથી. પરંતુ અંદર વસ્તુમાં તો અનંતગુણ છે. ભેદ સર્વથા કોઈ વસ્તુ જ નથી એમ માનવામાં આવે તો જેવી રીતે વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને જોઈને અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે. એવું નક્કી થઈ જશે તથા એનાથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો પ્રસંગ પ્રાપ્ત થશે. | માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો વ્યવહાર છે. એટલા માટે વ્યવહાર જુઠો છે. કારણકે ઘડોશીમયનથી-પણ માટીમય છે. એવી જ રીતેદ્રવ્યને નિશ્ચય અને પર્યાયને વ્યવહાર અને આ વ્યવહાર ઘીના ઘડાની જેમ જુકો છે એમ નથી. જે પ્રકારે ઘડો ઘી મય નથી એ પ્રમાણે પર્યાય થઈ જ નથી-એ વાત નથી. પર્યાય અસ્તિત્ત્વરૂપ છે-પર્યાયને વ્યવહાર કહ્યો છે પણ એ નથી એમ વાત નથી. રાગ પર્યાય અસદ્દભૂત વ્યવહાર નયનો વિષય છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy