SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આ જ કારણ છે કે નિશ્ચયનયનું ક્યન સ્વાશ્રિત અને વ્યવહારનયનું થન પરાશ્રિત હોય છે તથા નિશ્ચયનયના કથનને સત્યાર્થ-સાચું અને વ્યવહારનયના ક્વનને અસત્યાર્થ-ઉપચરીત કહેવાય છે. ઉપરના જીવ અને દેહના ઉદાહરણમાં જ જુઓ -જયાં વ્યવહારનય દેહ અને આત્મામાં એકત્ત્વ સ્થાપીત કરતો જોવામાં આવે છે ત્યાં નિશ્ચયનય એનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. એ એમ કહે છે કે જીવ અને દેહકદાપી એકથઈ નશકે. વ્યવહારની દૃષ્ટિ સંયોગીતત્ત્વ પર છે અને નિશ્ચયની દ્રષ્ટિ અસંયોગી પર. એવી રીતે જ્ઞાની (આત્મા) ના જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેય ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચય થી જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ચારિત્ર પણ નથી-શાની તો એકમાત્ર શુદ્ધ જ્ઞાયક જ છે. આમાં વ્યવહારનયથી એક અખંડઆત્માને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ કરીને સમજાવ્યું છે, પરંતુ નિશ્ચયનયમાં બધા જ ભેદોનો નિષેધ કરીને આત્માને અભેદ-શાયક સ્થાપિત કર્યો છે. આવી રીતે વ્યવહારનું કાર્ય નિજમાં ભેદ અને પરથી અભેદ કરતો સમજવાનું છે અને નિશ્ચયનું કાર્ય પરથી ભેદ અને સ્વથી અભેદ કરવાનું છે. આ જ એમના પરસ્પર વિરોધનું રૂપ છે. જયાં એક બાજુ વ્યવહારનયથી નિમિત્તાદિકની અપેક્ષા એક દ્રવ્ય ને બીજા દ્રવ્યનો કર્તાદિ કહેવામાં આવે છે અને નિશ્ચયનયમાં, હું જ મારો કર્તા-ધર્તા” કહેવામાં આવે છે. ત્યાં બીજીબાજુર્તા-કર્મનો ભેદકરવો એ જ વ્યવહાર છે અને એ પ્રમાણે ભેદનો નિષેધ કરવો નિશ્ચયનયનું કાર્ય માનવામાં આવે છે. નિશ્ચય-વ્યવહારની પરિભાષામાં ભેઠાભેઠ વિશેષણોની સાથે ઉપચાર વિશેષણનો પણ પ્રયોગ કરવામાં આવે છે-બે દ્રવ્યોની એક્તા સબંધી જેટલા સંયોગી કથન છે તે બધા ઉપચરિત' જ હોય છે. હવે રહી નિશ્ચયને ભૂતાર્થ-સત્યાર્થ અને વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કહેવાવાળી વાત. એનો આશય એમ નથી કે વ્યવહારનય સર્વથા અસત્યાર્થ છે, એનો વિષય છે જ નહિ. એના વિષયભૂત ભેદ અને સંયોગોનું પણ અસ્તિત્ત્વ છે, પરંતુ ભેદ અને સંયોગોના આશ્રયથી આત્માનો અનુભવ નથી થતો-એ અપેક્ષાથી એને અભૂતાર્થ કહ્યો છે. નિશ્ચયનયનો વિષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy