SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ આત્માશ્રિત કથનને નિશ્ચય અને પરાશ્રિત થનને વ્યવહાર કહે છે. સાચા નિરૂપણ ને નિશ્ચય અને ઉપચરિત નિરુપણને વ્યવહાર કહે છે. આમ જુદા જુદા શાસ્ત્રકારોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે. ⭑ નિશ્ચયનયનો વિષય અભેદ છે અને વ્યવહારનયનો ભેદ. નિશ્ચયનયનો વિષય સાચું નિરૂપણકરે છે અને વ્યવહારનયનો ઉપચરિત. ⭑ નિશ્ચયનયનો વિષય સત્યાર્થ છે અને વ્યવહાર નયનો અસત્યાર્થ. * નિશ્ચયનયનો વિષય અસંયોગી ફ્થન કહે છે અને વ્યવહાર નયનો સંયોગી. ⭑ નિશ્ચય નયનો આત્માશ્રિત કથન કહે છે અને વ્યવહાર નયનો પરાશ્રિત. નિશ્ચય નયનો જે દ્રવ્યની જે ભાવ પરિણતિ હોય, તેને એ જ દ્રવ્યની કહે છે પણ વ્યવહાર નય નિમિત્તાદિની અપેક્ષા લઈને અન્ય દ્રવ્યનો ભાવ અથવા પરિણતિ ને અન્ય દ્રવ્ય સુધીની કહી દે છે. નિશ્ચયનય પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર થન કહે છે. વ્યવહારનય અનેક દ્રવ્યના અનેક ભાવો-કારણ-કાર્યા દિકને પણ મેળવીને કથન કહે છે. ⭑ * * આ પ્રમાણે આપણે જોઈએ છીએકે નિશ્ચય અને વ્યવહારની વિષય વસ્તુ અને ક્થન શૈલીમાં માત્ર ભેદ જ નથી પરંતુ વિરોધ દેખાઈ આવે છે, કારણકે જે વિષય-વસ્તુને નિશ્ચયનય અભેદ અખંડ કહે છે, વ્યવહાર તેમાં ભેદ બતાડવા લાગે છે અને જે બે વસ્તુઓને વ્યવહાર એક બતાવે છે, નિશ્ચય અનુસાર એ કદીપણ એક થઈ શકે નહિ. વ્યવહાર કહે છે કે જીવ અને દેહ એક જ છે અને નિશ્ચયનય કહે છે કે જીવ અને દેહ કદાપી એક ન થઈ શકે. અહીં એ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે વ્યવહાર માત્ર એક અખંડ વસ્તુમાં ભેદ નથી કરતો, પરંતુ બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેઠ પણ સ્થાપીત કરે છે. નિશ્ચય માત્ર એક અખંડ વસ્તુમાં ભેદોનો નિષેધ કરી અખંડતાની જ સ્થાપના નથી કરતો, પરંતુ બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં વ્યવહાર દ્વારા પ્રયોજનવરા સ્થાપિત એકતાનો ખંડન પણ કરે છે. આવીરીતે નિશ્ચયનયનુંકાર્ય પરથી ભિન્નત્ત્વ અનેનિજમાં અભિન્નત્ત્વ સ્થાપિતકરવાનું છે તથાવ્યવહારનું કાર્ય અભેદ વસ્તુનોબેઠકરીનેસમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તે નિમિત્તક સંયોગીભાવોનું જ્ઞાન કરાવવાનું છે. Jain Education International. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy