SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રમાણ નય નથી થઈ શક્તો, કારણ કે એનો વિષય અનેક ધર્માત્મક વસ્તુ છે. જ્યારે નય પ્રમાણ થઈ શકે છે. કારણ કે એનો વિષય એકાંત અર્થાત્ અનંત ધર્માત્મક વસ્તુનો એક અંશ (ધર્મ) છે. આચાર્ય અકલંકદેવે તો નય ને સમ્યકએકાન્ત અને પ્રમાણને સમ્યક-અનેકાન્ત જાહેરક્ય છે. પ્રમાણસર્વનયરૂપ હોય છે કારણકે નય વાક્યોમાં સ્યાત્ ” શબ્દ લગાવીને બોલવાથી પ્રમાણ કહે છે. અસ્તિત્ત્વાદિ જેટલા પણ વસ્તુના નિજ સ્વભાવ છે અથવા વિરોધી ધર્મોના યુગપત ગ્રહણ કરવાવાળો પ્રમાણ છે અને એને ગૌણ-મુખ્યભાવથી ગ્રહણ કરવાવાળોનય છે. નય પ્રમાણથી ભિન્ન છે તથા તેની પ્રામાણિક્તામાં કોઈ સંદેહનીગુંજાઈશનથી. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં એ પણ પ્રામાણિક છે. જેનદર્શનની આ અનુપમ કથનશૈલીને અપ્રમાણ સમજી ઉપેક્ષા કરવી ઉચીત નથી. નયોના પ્રકાર જિનાગમમાં જુદા જુદા સ્થાનો પર જુદી જુદી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયોના ભેદ-પ્રભેદનું વર્ગીકરણ જુદા જુદાં રૂપોમાં કરવામાં આવ્યું છે. પ્રવચન સારમાં ૪૭ નયની વાત છે. ગોમટસારમાં એમ કહ્યું છે કે જેટલા વચન-વિકલ્પ છે તેટલા જ નયના ભેદ છે. “સ્વાર્થી સિદ્ધિ અનુસાર નય અનંત પણ હોઈ શકે, કારણ કે પ્રત્યેક વસ્તુની શકિતઓ અનંત છે. એટલે પ્રત્યેક શક્તિની અપેક્ષાઓનય અનંત વિકલ્પરૂપથઈ જાય છે. નયચક્ર પણ એટલું જ જટિલ છે, જેટલી એની વિષયભૂત અનંતધર્માત્મક વસ્તુ-વિસ્તાર તો બહુ જ છે- પણ બધા નયોમાં મૂળ બે નય છે. ૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય. એમાં નિશ્ચય નય દ્રવ્યાશ્રિત છે અને વ્યવહાર નય પર્યાયાશ્રિત છે એમ સમજવું. મુખ્યત: અધ્યાત્મપદ્ધતિમાં નિશ્ચય-વ્યવહારશૈલીનો પ્રયોગ જોવા મળે છે અને આગમ પદ્ધતિમાં દ્રવ્યાર્થિક-ય-પર્યાયાર્થિક નયશૈલીનો પ્રયોગ જોવા મળે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ને નિશ્ચયવ્યવહારના હેતુપણકહ્યા છે -આગમ અધ્યાત્મનું હેતુ છે - કારણ છે-સાધન છે. આત્માનું સાક્ષાત હિત કરવાવાળું તો અધ્યાત્મ જ છે. આગમતો એનું સહકારી કારણ છે. આ જ આગળના કથનનો હેતુ છે. અભેદ અને અનુપચારરૂપથી વસ્તુનું નિશ્ચય કરવું નિશ્ચયનય છે. ભેદ અને ઉપચાર થી વસ્તુનું વ્યવહાર કરવું વ્યવહાર નય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy