SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ નયજ્ઞાન વિના નિર્વિકલ્પ (નયપક્ષાતીત) આત્માનુભૂતિ સંભવ નથી, કારણકે અનાદિકાળથી કર્મવશને લીધે આત્મા અસત્કલ્પનાઓમાં રખડ્યો છે. જેવી રીતે મીઠું ભોજનની વાનગીઓને સુસ્વાદ બનાવી દે છે તેવી જ રીતે સમસ્ત શાસ્ત્રોની શુદ્ધિનોકર્તા આનયચક્રને કહે છે. સુનયના જ્ઞાનથી રહિત જીવોને માટે સમ્યસ્થતપણમિથ્યાવથઈ જાય છે. જેનદર્શન અનેકાન્તવાદી દર્શન છે અને એ વાદનયોની ભાષામાં જ વ્યક્ત થાય છે. એટલે એ જાણવા નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. I નયોનું સામાન્ય સ્વરૂપ અને પ્રામાણિકતાઃ • “નય’ સ્યાદ્વાદરૂપ સમ્યક શ્રુતજ્ઞાનનું અંગ છે. • નયોની પ્રવૃતિ પ્રમાણ દ્વારા જાણવામાં આવેલ પદાર્થના એક અંશમાં હોય અનંત ધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પરવિરુદ્ધ પ્રતિત થવાવાળા ધર્મયુગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. વસ્તુનાયાધર્મને વિષય બનાવવામાં આવે- આશાનીવક્તાના અભિપ્રાય પર નિર્ભર કરે છે. • “નય’ જ્ઞાનીના જ હોય છે. • જ્ઞાની વ્યક્તા જેને વિષય બનાવે છે એને વિવક્ષિત (મુખ્ય) કહે છે. • નયોના કથનમાં વિવક્ષિત ધર્મ મુખ્ય હોય છે અને બીજા ધર્મગૌણ રહે છે. નય ગૌણ ધર્મનું નિરાકરણ નથી કરતો, માત્ર એના સંબંધમાં મૌન રહે છે. નય જ્ઞાનાત્મક પણ હોય છે અને વચનાત્મક પણ હોય છે. સાપેક્ષ નય જ સમ્યફનયમાં હોય છે-નિરપેક્ષ નહિ. જે નયોના પ્રયોગમાં યુક્ત તથ્ય ન કહેવામાં આવે-વસ્તુતઃ એ નય જ નથી-નયાભાસ છે. આ વસ્તુસ્વરૂપના અધિગમ તથા પ્રતિપાદનમાં નયોનો પ્રયોગ જેન દર્શનની મોલિક વિશેષતા છે. અન્યદર્શનોમાં નય નામની કોઈ ચીજ નથી. સર્વત્ર પ્રમાણની જ વાત છે. જેનદર્શનમાં તત્ત્વાર્થ અધિગમના ઉપાયોની ચર્ચામાં પ્રમાણ અને નય બેઉને સમાન રૂપનો ઉલ્લેખ છે. નયનથી અપ્રમાણ કે નથી પ્રમાણકિન્તુ જ્ઞાનાત્મક છે. એટલે પ્રમાણનો એકદેશ છે. એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy