SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ ૪ સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે, જો જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાંનય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી. સ્વસવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે. શ્રુતજ્ઞાન પોતાના વિષયને યોગ્ય પદાર્થને સકળકાળક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે અને તેમાં એકદેશરૂપનય હોય છે. નયોના જ્ઞાનની આવશ્યકતાઃ સમસ્ત જિનાગમ નયોની ભાષામાં નિબદ્ધ છે. એટલે આગમના ગહન અભ્યાસ માટે નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. આત્માના સમ્યક અવલોકન અર્થાત્ અનુભવને માટે પણ નય વિભાગ દ્વારા ભેદજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. આવી રીતે આગમ અને અધ્યાત્મબંન્નેના અભ્યાસ માટે નયોના સ્વરૂપને ઉંડાણથી જાણવાની આવશ્યક્તા અસંદિગ્ધ છે. ' નયોના અધ્યયનનું મૂળપ્રયોજન પણ નિજ પરમભાવને જાણીને, માનીને તેમાં જ જામવું-રમવું છે કારણકે એ પરમભાવના આશ્રયથી જ સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. આ પરમભાવ જ એકમાત્ર પરમશ્રય છે, પરમૉય છે, પરમધ્યેય છે. જિન આગમમાં મર્મને સમજવાને માટે નયોનું સ્વરૂપ સમજવું આવશ્યક નહિ, અનિવાર્ય છે; કારણ કે સમસ્ત જિનાગમ નયોની ભાષામાં જ નિબદ્ધ છે. નયોને સમજ્યા વગર જિનાગમનો મર્મ જાણવો તો બહુ જ દૂરની વાત થઈ એમાં પ્રવેશ પણ સંભવ નથી. જે વ્યકિતનયદ્રષ્ટિથી વિહીન છે તેને વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન નથી થઈ શકતું અને વસ્તુસ્વરૂપ નહિ જાણવાવાળો સમ્યગ્દષ્ટિ કેમ થઈ શકે? અનાદિકાળથી મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન આત્માનુભવ વગર સંભવ નથી અને આત્માનુભવ આત્મપરિજ્ઞાનપૂર્વક થાય છે. અનંત ધર્માત્મક અર્થાત્ અનેકાન્ત સ્વરૂપ આત્માનું સમ્યકજ્ઞાનનયો દ્વારા જ થાય છે. અનેકાન્તને નયમૂલક કહેવામાં આવે છે. એટલે એ નિશ્ચિત છે કે મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન ચતુરાઈથી ચલાવવામાં આવેલાયચક્રથી જ સંભવ છે. આ નયચક અત્યંત તીક્ષણ ધારવાળું છે. જો તેનો બરાબર પ્રયોગ કરતાં ન આવડે તો લાભને બદલે હાનિ થાય છે. જૈનમતનું નયભેદ સમજવું અત્યંત કઠિન છે એટલે નયોની પ્રયોગવિધિમાં કુશળતા પ્રાપ્ત કરવા નયચક્રના સંચાલન માં ચતુર ગુરુ જ શરણ છે. જો કે આત્માસ્વભાવથી નયપક્ષાતીત છે તો પણ આત્માનયજ્ઞાન વિના પર્યાયમાં નયપક્ષાતીત થવામાં સમર્થ નથી. અર્થાત વિકલ્પાત્મક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy