SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ બનાવવાવાળા નયને પર્યાયાર્થિક નય પણ કહે છે. આ રીતે નયોનું સામાન્ય સ્વરૂપ સમજવું. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય કોને જાણે છે? વર્તમાન પર્યાય ને જોનારી દ્રષ્ટિ તે પર્યાયદષ્ટિ છે અને ત્રિકાળી , સ્વભાવને જોનારી દષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ છે. જે ત્રિકાળીદ્રવ્યસ્વભાવને જાણે અને કહેતદ્રવ્યાર્થિકનાય છે. તેમાં ત્રિકાળીદ્રવ્યને જાણનાર જ્ઞાન છે તે અંતરંગનય (અર્થાય અથવા ભાવનય) છે અને તેને કહેનાર વચન તે બહિર્નય (વચનાત્મક અર્થાત્ શબ્દનય) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાય ને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિક નય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાનને અંતરંગ નય છે અને તેને કહેનાર વચન તે બહિર્નય છે. સિદ્ધ દશાને જાણનારું જ્ઞાનતે પર્યાયાર્થિનય છે, પરંતુ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય પર્યાયષ્ટિ નથી, દ્રવ્યદૃષ્ટિ તે જ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય છે. પણ જે સિદ્ધ દશા પ્રગટે તેને જાણનાર તો પર્યાયાર્થિક નય છે. વર્તમાન અંશને ગૌણ કરીને ત્રિકાળ શક્તિ તે દ્રવ્ય છે, તે સામાન્ય સ્વભાવ છે અને વર્તમાન અંશતે વિશેષ છે-પર્યાય છે. એ બે થઈને આખું દ્રવ્યતે પ્રમાણનો વિષય છે. તેમાંથી સામાન્ય સ્વભાવ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, વિશેષ પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. - નય ફકત શ્રુતજ્ઞાનમાં જ છે, બીજા કોઈ જ્ઞાનમાં નથી. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ-એ પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિ, - મન:પર્યવ અને કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે અને મતિ તથા શ્રુતજ્ઞાન પરોક્ષ છે. હવે નય તો પરોક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો પ્રત્યક્ષ જ હોય એટલે તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે. તેમજ અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ પોતપોતાના વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં પરોક્ષરૂપનય હોતા નથી. મતિજ્ઞાન જો કે પરોક્ષ છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક એટલે વર્તમાનપાર્થને જ વિષયકહે છે, સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને તે ગ્રહણ કરતું નથી. તેથી તેમાંય નય પડતા નથી કેમ કે પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય. શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર-કાળવર્તી પદાર્થ ને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy