SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ • આ પ્રમાણે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે પુદ્ગલના ગુણો છે. તેઓ જ પુદ્ગલને ધારણ કરે છે તેથી તેઓ જ પુદ્ગલના ધર્મ છે. ગુણોની સાથે ગુણોનું પરિણમન પણ વસ્તુનો સ્વભાવ છે. તે પરિણમન બે પ્રકારનું જોવામાં આવે છે. સ્વભાવને અનુકૂળ પરિણમનને સ્વભાવ પર્યાય અને પ્રતિકુળ પરિણમનને વિભાવ પર્યાય કહે છે. વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે જ, સ્વભાવને અનુકૂળ પરિણમન હોવાને લીધે સ્વભાવ પર્યાયને પણ ધર્મ કહે છે. આત્માને સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાવાળા ધર્મની જ જિનેશ્વરોએ પ્રરૂપણા કરી છે તે ધર્મ આત્મધર્મ છે, કે જે મોક્ષમાર્ગ છે, દુખ મુક્તિનો ઉપાય છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવતો હમેશાં વિદ્યમાન છે. એને શું છોડવો? શું પ્રાપ્ત કરવો? એને તો જાણવો છે, સમજવો છે, માનવો છે, શ્રદ્ધવો છે, અનુભવવો છે. એમાં જ લીનતા રમણતા કરવી એ જ આત્મધર્મ છે. આત્માનો સ્વભાવ મૂળથી આત્મધર્મ છે એની સન્મુખ થઈ, એનો આશ્રય કરી, એને જાણી, એની શ્રદ્ધા કરી એમાં જ રમી જવું, જામી જવું, સમાઈ જવું એ સ્વભાવ પર્યાય રૂપ ધર્મ છે. જેને મુક્તિનો માર્ગ ત્રિરત્ની ધર્મ કહે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યચ્ચારિત્રત્રની એક્તારૂપધર્મજમુકિતનો માર્ગ છે. આ જ એક કર્તવ્ય છે. તે જ પ્રાપ્ત કરવો યોગ્ય ધર્મ છે.. તીર્થકર દેવ કહે છે એ રત્નત્રયથી વિપરીત સંસાર દુઃખો ને વધારવાવાળાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ અધર્મ છે. જૈન દર્શનનું સમ્યફ સ્વરૂપઃ સારા • જીવનું પ્રયોજન શું છે ? દરેક જીવને સુખ જોઈએ છે. દરેક જીવ દુઃખથી ભયભીત છે. • દુઃખના કારણો શું છે? * મિથ્યાત્વ + અજ્ઞાનતા કે અસંયમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો કુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરૂ ભગવંત. • મોક્ષ દશામાં આકુળતાનો (દુઃખનો) અભાવ છે એટલે તે જ આત્માને હિતરૂપ છે. માટે જીવે તે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy