SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આખી સૃષ્ટિમાં બે જૈન નથી. એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? • તે માત્ર આ દર્શનની પરિપૂર્ણતા, નીરાગીતા, સત્યતા અને સૌથી અગત્યનું જગતહિતસ્વીતા. • બાકીના સર્વ મતોના વિચાર જિનપ્રણીતવચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિકાંઈ-વિરબુદ્ધિનથી કે મિથ્યા એનું ખંડન કરાય, પણ વસ્તુ સ્થિતિ આ પ્રમાણે છે. પ્રિય ભવ્યો! જેન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો કે દેવ નથી. જિનેશ્વરોને એવું કાંઈપણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષાકે પક્ષપાતી બોધે. તેમ તેઓ અજ્ઞાની ન હતા કે એથી મૃષા બોધાઈ જાય. સર્વજ્ઞોએ પ્રરૂપેલો દર્શન એ સર્વ અપેક્ષા એ પરિપૂર્ણ છે, જગહિતકારી છે. • જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. • આ સંસાર સાગર તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપકલ્પવૃક્ષને સેવો. • જે અપૂર્ણ છે તેને બીજાના દોષ જોવાનો અધિકાર નથી અને જે પૂર્ણ છે તે કોઈના દોષ જોતા નથી. તંત્ર, મંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. • દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂ૫. • સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર એ રત્નત્રયની એકતાને મોક્ષમાર્ગ બતાવનાર જૈન દર્શન છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે એ જેનું સૂત્ર છે એજનદર્શન L જૈન ધર્મ આત્મધર્મ છે? વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે વસ્તુનો સ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંત સુખ વગેરે અનંતગુણોનો પિંડ જે આત્મા છે. તેઓ જ આત્માને ધારણ કરે છે તેથી તે જ આત્મધર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy