SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ જ્ઞાનાવરણ - દર્શનાવરણ-અંતરાયકર્મના કારણે જ્ઞાન-દર્શન અને વીર્યમાં અપૂર્ણતા, મોહનીયને કારણે શ્રદ્ધા અને ચારિત્રમાં ઉધાઈ અને ચાર અઘાતિ કર્મોના કારણે પર સામગ્રીનો સંયોગ એ રીતે અપૂર્ણતા વિકાસ અને સામગ્રી ઉપરની દૃષ્ટિએ જ મિથ્યાષ્ટિ છે; અને ચૈતન્ય સ્વભાવ પોતાથી પરિપૂર્ણ, નિર્વિકાર અને પરસંયોગ રહીત છે એની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે જ સુખનો ઉપાય છે. જીવ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલ્યો તેમાં જ આઠે પ્રકારના ભાવકર્મ આવી જાય છે. એ ભાવકર્મજ આત્માને દુઃખનું કારણ છે. જડકર્મો તો નિમિત્ત છે. જ્ઞાનમાં પોતાના સ્વભાવની કિંમત આવ્યા વગર ગમે તેટલા ઉપાય કરે તે બધાય ખોટા છે. તારા શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન વડે અનાદિની ભૂલ ટાળવાનો ઉપાય કર એમ કરવાથી તારું કલ્યાણ થશે. 0 જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy