SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૨૩ અને એ વડે જ જીવના જીવન્ત્યનો નિશ્ચય કરી શકાય છે. આ જ દેખવાજાણવાની શક્તિને ધારક કરનાર જે વસ્તુ છે તે જ આત્મા છે. વળી એ સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણકે નિજ સ્વભાવ જો બંધનું કારણ હોય તો બંધથી છૂટવું કેમ થાય ? માટે એમના નિમિત્તથી ઉપજેલા ભાવો નવીનબંધના કારણરૂપ નથી. હવે જાણવા જેવું તો આ સિદ્ધ થાય છે કે આત્મા છે, આત્માનું પરિણમન (અવસ્થા) છે, તે પરિણમનમાં ભૂલ છે, ભૂલમાં કર્મ નિમિત્ત છે, પરિણમનમાં જે ભૂલ છે તે ક્ષણિક છે, આત્માનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ છે, તેમાં ભૂલ નથી, તે સ્વભાવના ભાનથી ભૂલટળી શકે છે, તે ભૂલ ટાળવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે. ભૂલ ટળતાં કર્મનો સંયોગ પણસ્વયંટળી જાય છે. વર્તમાન પરિણામમાં જે ભૂલ છે તે જાણવી જોઈએકર્મ ભૂલ કરાવે છે એમ માને તો તે ભૂલ કેમ ટળે ? ભૂલનું નિમિત્ત કર્મ છે, પણ કર્મ ભૂલ કરાવતું નથી. મોહનીય કર્મના ઉદય વડે જીવને અયથાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્ત્વ ભાવ થાય છે તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાય ભાવ થાય છે. તે જો કે જીવના અસ્તિત્ત્વમય છે, જીવથી જુઠા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય છે તો પણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે પણ કર્મ નિમિત્ત દુર થતાં જ તેનો અભાવ જ થાય છે. માટે એ જીવનો નિજ સ્વભાવ નથી પણ ઔપાધિક ભાવ છે તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે. માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણભૂત છે. અનાદિ સંસારી જીવને અનંતાનુબંધી આદિ ચારે પ્રકારના કષાય નિરંતર વર્તે છે. અજ્ઞાનીને ઉંચાશુભભાવ હોય ત્યારે પણતેને તે ચાર પ્રકારના કષાય હોય છે. કારણ કે તીવ્ર-મંદતાની અપેક્ષાએ તે અનંતાનુબંધી આદિ ભેદ નથી પણ જીવના સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોને ઘાતવાની અપેક્ષાએ તે ભેઠ છે. જીવ જયારે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પ્રગટ કરે છે ત્યારે તે કષાયોનો ક્રમે ક્રમે અભાવ થાય છે. અઘાતિકર્મના ઉદયથી બાહ્યસામગ્રી મળી આવે છે તેમાં શરીરાદિક તોજીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહી થઈ અમ્બંધરૂપ જ હોય છે. તથાધનકુટુંબાદિક આત્માથી ભિન્નરૂપ છે તેથી એ બધા બંધના કારણનથી, કારણકે પદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ, પણ તેમાં આત્માના મમત્ત્વાદિરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy