SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧૬ કર્મ શું છે? વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના આત્માને શુદ્ધબુદ્ધ બનાવે છે. અનંતકાળથી મલિન થયેલો આત્મા નિર્મળ બને છે. એ જ સિદ્ધિ છે. આત્માનું જે મુળભૂત સ્વરૂપ છે તે પામી જવાનું છે. આત્માશાશ્વત છે, નિત્ય છે, અનંતજ્ઞાન, અનંતદર્શન,અનંતચારિત્રઅનંત વીર્યનો (શક્તિ) ધણી છે. આરાધના આત્માની અનંત શાશ્વત શક્તિઓને જાગૃત કરે છે. શક્તિ એટલે ગુણ. સર્વપ્રથમહું આત્મા છું એ જાણે, એ અનુભવે અને પછી એ માણે. આત્માના ગુણધર્મ એ જ મારો સ્વભાવ. આત્મા દ્રવ્યથી-સ્વતંત્ર છે. જગતનો કોઈપણ પરમાણુ-પદાર્થ એનો નથી. ક્ષેત્રથી-રબર જેવો-સૂક્ષ્મમાં સૂક્ષ્મ-બ્રહ્યાડમાં પ્રસરી શકે વિશાળ એવો. કાળથી-અનાદિ-અનંત-ત્રણે કાળમાં અસ્તિત્ત્વ છે. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી એ તમારો નથી. ફક્ત ભાવથી એ તમારો છે. ૧. સ્વભાવ ૨.પરભાવ-જીવની બે દશા - વિભાવ દશા અને સ્વભાવ દશા. જીવને વૈભાવિક પરિણમનો થયા કરે તે સ્થૂલ પર્યાય હોયતો પણ લાંબા કાળ સુધી ટકે નહિ. તેનો નાશ થઈ જ જાય જ્યારે આત્માના સ્વાભાવિક પર્યાયે પરિણમતો આત્માવિકાસક્રમમાં આગળ વધે ત્યારે જ્યાં સુધી પરિપૂર્ણ વિકાસ દશા સુધી નથી પહોંચ્યો, ત્યાં સુધી હીયમાન અને વર્ધમાન બંન્ને પરિણામો થયા કરે. તે છેક અગિયારમાં ગુણસ્થાન સુધી, પણ જો આગળ વધી ગયો અને સંપૂર્ણ સ્વાભાવિક દશારૂપ વીતરાગને પામી ગયો, તો પછી અસ્થિરતાનહિ, હીયમાન પરિણામ નહિ; પછીતો સદાતેમાં જ સ્થિર આમ સ્વાભાવિક દશા પણ નિત્ય છે. હવે મોક્ષ માર્ગમાં વિઘ્નકરનાર અંતરાયરૂપ આઠ કર્મો છે. આત્મા મૂળ સ્વરૂપે તે સિદ્ધ સમાન જ છે. પરંતુ તેના પ્રદેશો ઉપરકમ્મરૂપ મેલચઢી જાય છે ત્યારે મેલો બની જાય છે. આવો મેલ કેવી રીતે લાગે છે તે રીતો ર્મો બાંધવાની પ્રકૃતિઓ છે. કર્મો-કાશ્મણવર્ગણાના પુગલ પોતાની રીતે સ્વતંત્ર છે. પણ આત્માનારાગાદિ ભાવોને લીધે આત્માની સાથે બંધાય છે. પછી એ કર્મો સત્તાની પ્રકૃતિએ રહે છે અને જેવા રસે કર્મો બંધાય છે એવા રસે તીવ્રકે મંદ પણકર્મો ભોગવવા પડે છે. બાંધવામાં જીવસ્વતંત્ર છે – પરંતુ અજ્ઞાન અને મોહવશ કર્મો બંધાઈ જાય છે ત્યારે પરવશપણે પણ તે કર્મો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy