SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ પ્રાસ્તાવિક કર્મનો સિદ્ધાંતઃ કોઈ પણ ક્રિયાની પાછળ કારણ હોય છે અને નીચે મુજબ પાંચ કારણો મળે ત્યારે જ કોઈપણ કાર્ય નિપજે છે. એમાંથી એકપણ ઓછું હોય તો કાર્ય નિપજી શકતું નથી. ૧. કાળ - દરેક વસ્તુ એના નિયત સમયે થાય છે ૨. સ્વભાવ-ગુણધર્મ - દરેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય છે. ૩. ભવિતવ્યતા (નિયતી) - દરેક વસ્તુ બનાવવાનો આધાર હોનહાર છે. ૪. કર્મ-નસીબ-નિમિત્ત - દરેક વસ્તુ પોતાના કરેલા કર્મનું ફળ હોય છે. ૫. ઉધમ પુરુષાર્થ - દરેક વસ્તુને કંઈક બનવાઉઘમકરવો પડે છે. આપાંચેકારણોના સમવાયની જરૂર છે. એ પૈકીકર્મને ઓળખવા પ્રયત્ન કરીએ. આપણામાં પલટો પામતાં ધર્મો ક્ષણે ક્ષણે ફરતા રહે છે. એમને પર્યાય કહેવામાં આવે છે. અમુકધર્મો સ્થાયી રહે છે તેને ગુણ કહેવામાં આવે છે. આ ગુણ અને પર્યાય જેને હોય તેને આત્મા કહેવામાં આવે છે. વ્યવહાર દષ્ટિથી શુભ-અશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર અને એનો ક્ષય કરનાર આત્મા છે. - નિશ્ચય દ્રષ્ટિથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે પોતાના અનંત ગુણોનો કર્તા અને ભોકતા આત્મા છે. જે સુખ સ્વરૂપ જ્ઞાનોપયોગ લક્ષણવાળો અને ચેતના સહીત હોય છે અને જે પ્રાણ ધારણ કરે તે આત્મા કહેવાય. વ્યવહારનજરે જીવને ઓળખવા માટે તેને દશ પ્રાણધારણ કરનાર કહ્યો. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયા એ ત્રણ બળ,શ્વાસોચ્છવાસ અને આયુષ્યસમજાય તેવા છે. આ પ્રાણને ધારણ કરનાર અને તેનજરે એને જીવ તરીકે ઓળખવામાં આવે છે. આત્મા પોતે શુદ્ધ છે, અનંતગુણોમાં રમણ કરનાર છે. એને જયારે કર્મો લાગે ત્યારે મૂળ ગુણ પર આવરણ આવે છે. કર્મ પોતે પૌદ્ગલીક ચીજ છે. એ પુલ પરમાણું કરતાં પણ વધારે સૂક્ષ્મવર્ગણા છે. હેતુકારણ પ્રાપ્ત થાય છે ત્યારે એ જીવ સાથે મળી-ચોંટી-લાગી જાય છે અને પોતાનું ફળ આપે ત્યારે જ ખસે છે. આ જીવો પૈકી પુગલના પરમાણું છુટા હોય ત્યારે તેમને અણુ કહેવામાં આવે છે. અને પરસ્પર મળેલા હોય ત્યારે તેમને પ્રદેશ કહેવામાં આવે છે. આત્માનો અને કર્મનો સંબંધ થવાને પરિણામે આખો સંસાર છે. Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy