SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આસવના કારણમાં ૧. મિથ્યાત્વ ૨. અવિરતી ૩. પ્રમાદ ૪. કષાય ૫. યોગ મુખ્ય છે. આત્માને લાગેલા કર્મો આત્માની અમુક શક્તિઓને ઢાંકે છે, અમુક વખતે ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળા ફળો આપે છે અને અમુક જથ્થામાં આત્માને લાગે છે. આ બધાનું પ્રમાણ અને નિયમ શું? ૧. પ્રકૃતિ ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે વખતે આત્માના શું ભાવ છે, એ આત્માની શક્તિને કેવી રીતે ઢાંકશે. એ નક્કી કરે છે. આ પ્રવૃત્તિ વખતે ક્યાયની તીવ્રતા મંતા પરતેનો આધાર છે. કષાય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ. હકીકતે આ બધા રાગ-દ્વેષનો જ વિસ્તાર છે. કષાય એ જ ખરી જડ છે. કર્મની દશ અવસ્થાઓ :૧. બંધ : કર્મ પુદ્ગલોને આત્માની સાથે નીરક્ષીર સંબંધ. ૨. સત્તા ઃ કર્મ પુદ્ગલો પોતાનું ફળ ન આપતા કેવળ સત્તા રૂપે રહે. ૩. ઉદય ઃ કર્મ પુદ્ગલો પોતાનું ફળ આપવા તત્પર થાય. ૪. ઉદીરણા : ખાસ પ્રયત્નથી તેના નિયત સમય પહેલા ફળ આપે. ૫. સંક્રમણ : એક પ્રકૃતિનું- બીજી સજાતીય કર્મ પ્રકૃત્તિમાં સંક્રમણ. ૬. ઉદવર્તન : સ્થિતિ અને રસમાં વધારો થાય. ૭. અપવર્તના: સ્થિતિ અને રસમાં ઘટાડો થાય. ૮. ઉપશમતા : ઉતકર્મને શાંત કરવામાં આવે. ૯. નિઘતિ : ઉદીરણા અને સંક્રમણના સંભવનાનો અભાવ. ૧૦.નિકાચના : ઉદ્વર્તના-અપવર્તના સંભવવાનો બિલકુલ અભાવ. કર્મનો ઉદય થાય ત્યારે તેના ફળને ભોગવવા દરેક જીવને સ્વતંત્રતા છે. અજ્ઞાની એમને આસક્તિ અને વિહવળતાથી ભોગવે છે. જ્ઞાની એને ઘેર્ય અને સમતાથી ભોગવે છે. સમતાથી ભોગવવામાંડહાપણ છે. એ એવી રીતે ભોગવી લેવાથી નવાકર્મનોબંધનથી તો તેને સંવરકહેવાય છે અને ઉદયમાં આવેલું એ કર્મનું ખરી જવું તેને નિર્જરા કહે છે. બધા જ કર્મો ના ક્ષયની અવસ્થાને મોક્ષ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy