SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૩ - જૈન દષ્ટિએ કર્મ જેનદર્શન અનુસારકર્મનો એક અર્થ છે ક્રિયા, પ્રવૃત્તિ. બીજો અર્થ છે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદ્ગલો (કર્મ વર્ગણા) જીવ તરફ આકર્ષાઈને તેને ચેટ છે (તેના પ્રદેશોને) તે પુગલોને કર્મ કહેવામાં આવે છે. આમ કર્મ પૌદ્ગલીક દ્રવ્યરૂપ છે. પુદ્ગલનો અર્થ પદાર્થ (Matter) છે. કર્મ મૂર્તિ છે – આત્મા અમૂર્તિ છે. તો પ્રશ્ન એ છે કે તો આત્માનો કર્મની સાથે સંબંધ કેવી રીતે થઈ શકે? જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે.જે પુગલપરમાણુંઓકર્મરૂપે પરિણીત થાય છે તેને કર્મવર્ગણા કહે છે અને શરીર જે રૂપે પરિણિત થાય છે તેમને નોકર્મ વર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુઓથી ભરપુર છે. જીવ પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિથી આ પરમાણુંઓને પોતાની તરફ આકર્ષતો રહે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે, જયારે જીવની સાથે કર્મ સંબંધ હોય અને જીવની સાથે કર્મનો ત્યારે જ સંબંધ થાય છે જયારે મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મ પરંપરા અનાદિથી છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્યકારણ ભાવને નજર સમક્ષ રાખી પુગલ પરમાણુંઓના પિંડરૂપ કર્મને દ્રવ્ય કર્મ અને રાગ-દ્વેષ આદિરૂપકર્મને ભાવકર્મકહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્ય-કારણ ભાવ મરઘી અને ઈડાની માફક અનાદિ છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મ પુદ્ગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ આત્માનો આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થાઓ બતાવવામાં આવી છે. * ઔદયિક . - કર્મના ઉદયથી પેદા થનાર. * ઔપશમિક - કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર. * ક્ષાયોપથમિક - કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર. કક્ષાયિક - કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર. તે ઉપરાંત પાંચમો ભાવ પરિણામિક ભાવ છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન છે. કર્મનું જીવ ભણી આવવું (આમ્રવનું) કારણ છે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, જેને યોગ કહે છે. તે કર્મોનો આત્મા સાથે સંબંધ કરાવનાર છે – આ સંબંધ તે બંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy