SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ * - ⭑ જગતમાં છ એ દ્રવ્યે નિત્ય ટકીને પ્રત્યેક સમયે પોતાની અવસ્થાનો ઉત્પાદ વ્યય કર્યા કરે છે; એમ અનંત જડ – ચેતન દ્રવ્યેા એકબીજાથી સ્વતંત્ર છે; માટે ખરેખર કોઈનો નાશ થતો નથી, કોઈ નવા ઉત્પન્ન થતા નથી . તેમજ બીજા તેની રક્ષા કરી શકતા નથી; અર્થાત્ આ જગતમાં કોઈ પરને ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ. * ૧૦૯ ચૈતન્યભાવનો જ ફક્ત ઘાત કરી શકે બીજું કંઈ કરી શકે નહિ. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા- હર્તા થઈ શકતું નથી ⭑ સુખી-દુઃખી થવું ઈચ્છાના અનુસાર જાણવું પણ બાહ્ય કારણોને આધીનનથી....ઈચ્છાથાય છે તેમિથ્યાત્ત્વ, અજ્ઞાન, અસંયમથી થાય છે તથા ઈચ્છામાત્ર આકુળતામય છે અને આકુળતા એ જ દુઃખ છે. મોહના સર્વથા અભાવથી જયારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય છે ત્યારે સર્વ દુ:ખ મટી સત્ય સુખ પ્રગટે છે. * જ્ઞાની પોતાના ધ્રુવસ્વભાવના દૃષ્ટિના બળે દુઃખનો સ્વામી થતો નથી પણરાગ-દ્વેષટળતો જાય છે અને જેમ જેમકષાયનો અભાવથતો જાય છે તેમ તેમ તેને સુખનો અનુભવ નિરંતર વર્તતો રહે છે. તત્ત્વનો નિર્ણય કરવો એ જ મુદ્દાની વાત છે. જ જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે પરંતુ પર જીવો તેનાકર્યાં દુ: ખી – સુખી થતાં નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક હોવાથી મિથ્યા છે, ખોટી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy