SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કર્મનો સિદ્ધાંત ૧૧૦ કર્મ-શાસ્ત્ર ભૂમિકા અધ્યાત્મ-શાસ્ત્ર નો ઉદ્દેશ્ય, આત્મા સંબંધી વિષયો પર વિચાર કરવાનો છે. તેથી તેને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણકરતા પહેલાં જ તેના વ્યવહારિક સ્વરૂપનું પણ થન કરવું પડે છે. જો એમ કરવામાં ન આવે તો એ પ્રશ્ન સહજ ઉઠરશે કે મનુષ્ય, પશુ-પંખી, સુખી-દુઃખી આદિ આત્માની દૃશ્યમાન અવસ્થાઓનું સ્વરૂપ ખરાખર જાણ્યા વગર જ તેની પેલી પારનું સ્વરૂપ જાણવાની યોગ્યતા અગર દ્દષ્ટિ કેવી રીતે પામી શકાય? તે સિવાય એક એ પણ પ્રશ્ન થાય એમ છે કે દૃષ્યમાન વર્તમાન અવસ્થાઓ જ આત્માનો સ્વભાવકેમન હોઈ શકે? તેથી અધ્યાત્મશાસ્ત્ર માટે આવશ્યક છે કે તે પહેલાં આત્માના દ્રશ્યમાન વર્તમાન સ્વરૂપની ઉત્પતિ બતાવીને પછી જ આગળવધે. આકાર્યકર્મ-શાસ્ત્રર્યું છે. તે દૃશ્યમાન સર્વ અવસ્થાઓને કર્મજન્ય બતાવીને તેમાંથી આત્માના સ્વભાવની જુદાઈ સુચવે છે. આત્માનું તથા કર્મનું સ્વરૂપ અર્થાત્ ગુણ ધર્મ ને જાણવાથી એક વાતની શ્રદ્ધા પાકી થઈ જાય છે કે બંન્ને તત્ત્વો અલગ છે અને બંન્ને સ્વતંત્રદ્રવ્ય છે પરંતુ સંયોગ સંબંધથી સાથે રહે છે. અવિનાભાવ સંબંધથી નહિ. કર્મ અને આત્માના સ્વરૂપને જાણ્યા વગરજીવને ભેદ વિજ્ઞાન થઈ શકે નહિ ભેઠવિજ્ઞાન વગર સમતિ નહિ અને સમતિ વગર મોક્ષનહિ, આ દૃષ્ટિથી કર્મ-શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર નો જ એક અંશ છે. જ્યાં સુધી અનુભવમાં આવનારી વર્તમાન અવસ્થાઓની સાથે આત્મા સંબંધી સાચા ખુલાસાઓ ન થાય ત્યાં સુધી દ્દષ્ટિ આગળ ન વધે. જયારે આ વાતનું જ્ઞાન થઈ જાય છે કે ઉપરના બધા જ રૂપ માયિક અથવા વૈભાવિક છે, ત્યારે સ્વયંમેવ જિજ્ઞાસા થાય છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છે? આવી જિજ્ઞાસા થયા પછી જ આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે સાર્થક ગણાય છે. જીવ પરમાત્માના અંશ છે એમ કહેવાનો આશય કર્મ- શાસ્ત્રની દૃષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાન-કળા-શકિત વ્યકત ખૂલી છે અર્થાત દેખાય છે તે ઢંકાયેલા પરિપૂર્ણ વળજ્ઞાનરૂપી ચંદ્રની એક કળા છે. અર્થાત્ અવ્યકત ચેતના ચંદ્રિકાનો એક અંશ માત્ર છે. પરંતુ કર્મનું આવરણ હટી જવાથીચેતના પરિપૂર્ણરૂપે પ્રગટ થાય છે. કર્મશાસ્ત્ર અનેક પ્રકારના આધ્યાત્મિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy