SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ શરીર, વાણી, પિસા ઈત્યાદિ જડની ક્રિયા આત્મા કદીયનકરે-નકરી શકે. જ્ઞાન અને આત્માને જુદાંનહિ દેખતો જ્ઞાની નિઃશંકપણે જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું, જાણવું, જાણવું એવો જે જ્ઞાનસ્વભાવ અને આત્મા બન્ને એક અભેદ છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. જ્ઞાન જ્ઞાનમાં ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનતે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયાનિષેધવામાં આવી નથી. પર્યાય સ્વદ્રવ્યતરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈતે ધર્મ-ક્રિયા છે અને તે નિષેધીનથી. પરંતુ પરલક્ષે જે રાગની ક્રિયા થઈ તે નિષેધી છે. • ત્રણ પ્રકારની ક્રિયા છે : (૧) શરીર, મન, વાણી, ધનાદિ જે જડપદ્રવ્ય છે તેની ક્યિાને જડની ક્રિયા. (૨) પર દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. (૩) સ્વરૂપ ના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવરૂપ ક્રિયા. જડની ક્રિયા આત્મા ત્રણે કાળમાં કરતો નથી, કરી શકતો નથી અને જ્ઞાનતે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકવર્તતોતેરાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવ સન્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાન ક્રિયા કરે છે. આમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયા. આ જાણવું, જાણવું, જાણવું એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે એક અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાન ક્રિયાતે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાભપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાભસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાનજ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે અને તે સ્વભાવભૂત છે. જીવ અજ્ઞાનવશ શુભાશુભ વિકાર ભાવે પરિણમે છે ત્યારે તે વખતે કર્મપણે પરિણમવાની પોગલિકકર્મ-રજકણોની લાયકાત છે તેથી સ્વકાળેતે કર્મની અવસ્યા થાય છે. જીવના શુભાશુભ પરિણામને લઈને નવુ કર્મ બંધાય છેએમ નથી. શુભાશુભ પરિણામ તો બાહ્ય નિમિત્ત માત્ર છે. કર્મ રજકણો પોતાની મેળે સ્વતંત્ર પરિણમી જાય છે. - જીવ જ્ઞાનરૂપેન પરિણમતાં રાગરૂપે પરિણમ્યો- એ તેનો સ્વકાળ છે માટે રાગરૂપે પરિણમ્યો છે. કર્મને ઉદય છે માટે રાગરૂપે પરિણમ્યો એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy