SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કર્તાપણું મટી જાય છે, આ અકર્તૃત્ત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજયોતિ અજ્ઞાનરૂપ કર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી મટાડી દે તેવી ધીર છે, અનાકુળ છે. અંદર જ્યાં જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને ગ્રહ્યો ત્યાં જ્ઞાની-ધર્મી એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું. આ જૈન ધર્મ છે. વળી તે જ્ઞાનજયોતિ પરની સહાય વિના જુઠાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે – પ્રત્યક્ષ જાણે છે. શું કહ્યું ? કે જ્ઞાતા સ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુઠાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલા (અનંત) દ્રવ્ય -ગુણ-પર્યાય છે તે સર્વને ભિન્ન ભિન્ન પણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાંદ્રવ્યોને-દ્રવ્ય-ગુણ- પર્યાય- બધાને પ્રકાશવાનો સ્વભાવ છે. અહીં કહે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતાં જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને, સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વ-પર પ્રકાશક સ્વભાવ પોતાથી છે. અહો! કરે નહિ કોઈનું (પરિણમન) અને જાણે સોને– લોકાલોકને એવો જ્ઞાનસ્વભાવી આત્મા છે. આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પર ભાવોનાકર્તાપણારૂપ અજ્ઞાનને દૂરકરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. જુઓ શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઈત્યાદીનું હું કરું એ કર્તાપણાનું અજ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા આવા અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકારામાન થાય છે. પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેઠના લક્ષ વિના અભેદ એક નિર્મળ જ્ઞાનસ્વભાવના લક્ષે જ્ઞાનજયોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. જડનાં કામ આત્મા કરે એ માન્યતા મૂઢ મિથ્યાદ્દષ્ટિની છે. જડના કાર્યો જડથી થાય, આત્માથી ત્રણ કાળમાં નહિ- આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથક્ષણે રહેલા છે. તે એકબીજાનું કાર્ય કરે તો અનંતતા રહે નહિ, પૃથક્તા રહે નહિ. અનંત આત્મા, અનંત પુદ્ગલો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે સૌ પોતપોતાથી છે. દ્રવ્યગુણ તો પોતાથી છે પણતેતે દ્રવ્યોની પર્યાયો પણ પોતાયી છે.ત્યારે જ તે અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy