SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ કરું- એમ કુટુંબના, સમાજના, દેશના કાર્યો કરવાના વિકલ્પોથી તેઓ ખૂબ આકુળ-વ્યાકુળ થતા હોય છે, પરંતુ ભાઈ ! એક રજકણ બદલવાનું તારું- આત્માનું સામર્થ્ય નથી. તારો તો જ્ઞાન- સ્વભાવ છે અને તેના આશ્રયે ઉભી થયેલી જ્ઞાનજયોતિ ધીર છે, અનાકુળ સ્વરૂપ છે, અત્યંત આનંદ રૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજયોતિ સાથે અતિન્દ્રિય આનંદ પણ ભેગો જ છે. અહાહા...! આ જ્ઞાનજયોતિ અત્યંત ધીર છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય તો પણ એમાં મુંઝવણનથી, આકુળતા નથી. જ્ઞાનજયોતિ પ્રગટ થતાં ધર્મ જીવ એમ જાણે છે કે હું પરનું કાંઈ (પરિણમન) કરી રશકું નહિ તથા પર મારું કાંઈ (પરિણમન) કરી શકે નહિ. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ. આવી જ્ઞાનજયોતિ પ્રગટ થતાં અજ્ઞાન ભાવે જે કર્તા-કર્મની પ્રવૃતિ થતી હતી તે સહેજે દૂર થઈ જાય છે અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કર્તા છું એમ જ્ઞાની જાણે છે. તો આ કેવી રીતે છે? ભાઈ ! એ જ્ઞાન પ્રધાન કથન છે. સમ્યજ્ઞાન થયા પછી ધર્મ જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે, એ મારા પોતાના (પર્યાય રૂપ) અસ્તિત્ત્વમાં છે. અને તે મારે લઈને છે, એમાં પરની સાથે શું સંબંધ છે? આમ તે જ્ઞાનમા જાણે છે પરંતુ દૃષ્ટિ ના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્ત્વ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દ્રવ્યમાં છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં રાગ કે રાગનું કર્તાપણું છે જ નહિ. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, પર્યાયમાં અંશે રાગાદિ છે એને પણ જાણે છે અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે તેનો કર્તા છે એમ વ્યવહારે જાણે છે. નિશ્ચયથી વિકારનું કર્તા-કર્મપણું જ્ઞાનીને નથી. તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કર્તા ભોકતા છે. જયાં જે અપેક્ષાથી થન હોય તે અપેક્ષા લક્ષમાં લઈ તેનો ભાવ બરાબર સમજવો જોઈએ. પર્યાય માં પરિણમન છે. એ અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દ્દષ્ટિએ એનું સ્વામિસ્ત્વ જ્ઞાનીને નથી. એ અપેક્ષાએ જ્ઞાની રાગનો અકર્તા છે. આત્મામાં વિકારને – રાગને ન કરે એવો અક્ત નામનો ગુણ છે. દયા, દાન, વ્રત, ભકિત આદિના રાગને નકરે એવી આત્મામાં અકર્તૃત્ત્ત નામની શકિત છે. જ્ઞાનમાં જયાં જ્ઞાયક ભાવને પડયો ત્યાં શુભાશુભ વિકારભાવોનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy