SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ | ૦ ૦ માન્યતા મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શન યુક્ત જે કર્તા-કર્મ ની પ્રવૃતિ છે તેને જ્ઞાનજયોતિ મટાડે છે. કેવી છે તે જ્ઞાનજયોતિ? ત્રિકાળી જ્ઞાનાનંદસ્વરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. કોઈને આધીન નથી. આવા દ્રવ્ય સ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થઈને નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું. અહાહા....! જ્ઞાનીને પોતાની વર્તમાન અલ્પજ્ઞ દશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમને માને છે. અરે લોકોને આવી વાત સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડના કર્તુત્વના ફંદમાં ફસાઈ જાય છે. દયારો, તપ કરો, ઈત્યાદિ કરો, કરો, કરો એમ કરવાના-કર્તુત્વના ફંદામાં ફસાઈ જાય છે. પરંતુ બાપુ! કરવું એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. આત્માના સ્વરૂપમાં જ નથી. કેમ કે આત્માતોં સર્વશસ્વભાવી છે. અહાહા....! જેમાં બેહદ જ્ઞાન સ્વભાવ સર્વ પ્રદેશે ભર્યો પડ્યો છે એવો આનંદ, એવી શ્રદ્ધા, એવાર્તા-કર્મ-કરણ ઈત્યાદિ અનંત અપરિમતિ શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનોનાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખથઈ અંદરથી પકડતાં- ગ્રહતાં જે જ્ઞાન જયોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, ઉદાર છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી. અહાહા....! વસ્તુ (આત્મા) સ્વાધીન અને તેને ગ્રહનારી- જાણનારી જ્ઞાનજયોતિપણ(પરની અપેક્ષારહીત) સ્વાધીના આવું વસ્તુ સ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો જયાં સુધી કર્તા થાય ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે. અજ્ઞાન ભાવે તે વિકારનો-દોષનો કર્તા છે. વિકારનો કર્તા કોઈ જડ કર્મ છે એમ નથી. પરંતુ વસ્તુસ્વરૂપના અભાનમાં અજ્ઞાનીજીવ વિકારનો કર્તા છે. આ બધી અજ્ઞાનમયકર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી શમાવતી જે જ્ઞાનજયોતિ પ્રગટ થઈને પરમઉદાત્ત છે, સ્વાધીન છે. “તન જો નિજાનમાં, કતાં આપ સ્વભાવ વર્તે નહિ નિજાનમાં, કર્તા-કર્મ-પ્રભાવ.” કર્મ નું ર્તાપણુ આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે. • વળી કેવી છે તે જ્ઞાનજયોતિ અત્યંત ધીર છે. અથાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરનાં કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. કુટુંબનું આકરું અને સમાજનું આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy