SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિકર્મ બંધાય છે એમ કહેવું એતો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપજેમ છે તેમ યથાર્થ સમજવું. જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે. જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તે સંસાર છે અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યસ્વભાવમય ભગવાન છે. તે શું કરે? શું તે રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનાવરણાદિ કર્મ કરે? અહાહા...જ્ઞાનસ્વરૂપી સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણાદિકર્મ કરે એ વાત જૂઠી છે. માત્ર જાણવું, જાણવું, જાણવું એ જ જેનો સ્વભાવ છે તે રાગાદિ પરને જાણે એ તો ઠીક છે પણ તે રાગાદિ પરને કરે એ માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે. ભાઈ! આ દયા, દાન આદિ જે ભાવ થાય તેનો હું કર્તા અને દયા, દાન આદિ ભાવતે મારું કર્મ તથા તે સમયે પુણ્યકર્મ બંધાય તે પણ મારું કર્મ એવી માન્યતા તે અજ્ઞાન છે. આત્મા પરમાર્થે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કરતો નથી. પરંતુ જયાં સ્વયં શુદ્ધ એક ચિદ્રુપ જ્ઞાયકનાલ પરિણમ્યો અનેર્યો ત્યાં પોતે વીતરાગદશાને પામ્યો તથા રાગાદિ ઉત્પન્ન જ થયા નહિ અને દ્રવ્યકર્મ પણ અકર્મપણે પરિણમ્યાં તો એટલું દેખીને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એણે ભાવકર્મ-દ્રવ્યર્મનો નાશર્યો. ‘ણમો અરિહંતાણં” નથી કહેતા?એટલે તે કર્મરૂપીવૈરીને ભગવાને હણ્યાં. પરમાર્થે ભગવાને જડર્મને તો હણ્યાં નથી પણ રાગાદિ ભાવકર્મને પણ હણ્યાં નથી. ભગવાન તો સ્વરૂપસ્ય થઈ પૂર્ણ વીતરાગતાને અને સર્વશતાને પામ્યાં છે, ત્યારે રાગાદિંભાવકર્મ ઉત્પન્ન જ થયાનહિ અને દ્રવ્યકર્મ અકર્મપણે પરિણમીગયા; તેથી ભગવાને ભાવકર્મદ્રવ્યકર્મનો નાશર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! તેને સમજવા તત્ત્વષ્ટિ કેળવવી જોઈએ. નિર્મળાનંદનોનાથ ભગવાન આત્મા શુદ્ધ ચેતન્યનો દરિયો છે. તેને દ્રષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. દયા, દાન, વ્રત, તપ આદિ શુભભાવ (પરિણામ) અને હિંસાદિ અશુભ પરિણામ એમ શુભાશુભ પરિણામનો હું કર્તા છું અને તે મારાં કાર્ય છે, કર્તવ્ય છે એવી અજ્ઞાનીઓની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy