SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ લાગણી-હીને થાય છે. જયારે જ્ઞાનીઓ પોતાના ચેતન્ય સ્વભાવના લક્ષે એકાગ્ર થઈને વિકારી લાગણીઓ થી રહિત સિદ્ધ થાય છે. તેઓને તો વીતરાગી કહેવાય છે. જે જીવો વિકારી લાગણી કરે છે તે પરને માટે કરતા નથી પણ પોતાને તેજાતનોષાય હોવાથી તે લાગણી થાય છે. એ લાગણીને જે કરવા જેવી માને-ફરજ માને તે મિથ્યાષ્ટિ છે. કર્તકર્મ અધિકારઃ આલોકમાં હુંચેતન્યસ્વરૂપ આત્માતો એકર્તા છું અને ક્રોધાદિ ભાવો મારા કર્મ છે, એવી અજ્ઞાનીઓ ને જે કર્તા-કર્મ ની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજયોતિ સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાન જયોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતા રૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે -પ્રત્યક્ષ જાણે છે. ભાવાર્થ: આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય, પરભાવોનાકર્તાપણારૂપ અજ્ઞાનને દુર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. આ આત્મા જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જયાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેની ર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિરૂપ પરિણમતોતે પોતેર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તોકર્તા-કર્મની પ્રવૃત્તિ છે, ર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ થાય છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે, એ પ્રમાણે અનાદિ પ્રવાહ છે. આ રીતે જ્યાં સુધી આત્માક્રોધાદિકર્મનોíથઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. ર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે ર્તા અને ર્તાનું ઈષ્ટ તે કર્મ જ્ઞાનીનું ઈષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું ઈષ્ટ રાગ-દ્વેષ. આત્માકર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ -એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. હુંર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય તેવેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારુ કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દુર કરીને જે જ્ઞાન ભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને શાતા થાય છે. પરમાણુંઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy