SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મિશન પરિણમે છે એમ પણ નથી. દરેક પદાર્થની પર્યાય દરેક સમયે ફટકારથી સ્વતંત્રપણે જ પરિણમે છે. એ વસ્તુની સ્થિતિ છે. ભાઈ ! તારું તત્ત્વ તો આખું જ્ઞાયકભાવથી ભરેલું છે. એ જાણવા સિવાય શું કરે? એક પરમાણું સ્વતંત્ર છે, પોતે કર્તા થઈને પોતાના કાર્યને કરે છે. બીજા પરમાણુનો તેમાં અત્યંત અભાવ છે. પુદ્ગલદ્રવ્યની પર્યાય પર્યાયથી સ્વતંત્ર થાય છે, દ્રવ્યપણકારણ નહિ. ભાઈ! વીતરાગની વાત બહુ સૂક્ષ્મ છે. જે ન થઈ શકે તે કાર્ય કરવાની બુદ્ધિકરવી તે મૂર્ખતા છે. દેહ આદિના કાર્યો હું કરી શકું છું, હાથપગ આદિને હું હલાવી શકું છું, પરદ્રવ્યોના કાર્યોને હું કરી શકું છું એ માન્યતા મૂર્ખતા છે. હું પરજીવોને સુખી કે દુઃખી કરી શકું , પરજીવો મને સુખી કે દુઃખી કરી શકે છે, હું પરજીવોને બચાવીકે મારી શકું છું, દેશ-કુટુંબ આદિની સેવા હું કરી શકું છું એવી બુદ્ધિ તે મૂર્ખતા છે. જે પરદ્રવ્ય છે, તેના કાર્ય થઈ શકતા નથી. છતાં તેને કરવાની બુદ્ધિ તે મિથ્યાત્વભાવનાની મૂર્ખતા છે અને જે કાર્ય પોતાના સ્વભાવગત થઈ શકે છે એવા પોતાના સ્વરૂપની સાચી શ્રધ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ એ કરતો નથી, એ મૂર્ખતા છે. આ મૂર્ખતાનું પરિણામ અનંત દુઃખ છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત.” આવી પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી લાભ શું? પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી પોતાના પરિણામનો કર્તા પોતે છે બીજો નથી એમ સમજવાથી પરથી ખસીને પોતાના પરિણામ વાળીને આત્માનો અનુભવ કરવો એ લાભ થાય છે. પોતાનો સ્વભાવ જ્ઞાતા દષ્ટા છે એમ જાણીને જાણનાર દેખનાર રહેતો ચોરાશીના અવતારમાં રખડી રખડી ને કડનીકળી ગયો છે તે રખડવાનું ટળે અને મુક્તિ થાય એ લાભ થાય છે. પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરતાં એટલી પરાલંબી શ્રદ્ધા તો છૂટી જાય છે. એટલો એને લાભ થાય છે. હવે સ્વતરફએને વળવાનું રહ્યું, સ્વ આશ્રયનો પુરુષાર્થ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. પરજીવોનું જીવન કે મરણ તેના કારણે થાય છે, હું તેનું કાઈ નહિં કરી શકું, હું તો માત્ર જાણનાર છું. એવી શ્રદ્ધા કરવાથી જીવના પરિણામ નિષ્ફર નહિ થઈ જાય? અરે ભાઈ! વસ્તુ સ્વભાવ જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવાનું ફળ તો વીતરાગતા છે. ચેતન્યસ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો દયાદિના પરિણામ છોડીને માત્ર જ્ઞાતા રહેશે તો વીતરાગ થશે. અજ્ઞાનીઓ કષાયના લક્ષે નિષ્ફર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy