SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫. સમ્યગ્દર્શન થવામાં શુદ્ધાત્માની શ્રદ્ધા પ્રતીતિ સિવાય બીજું કોઈ કારણ નથી. કેવળજ્ઞાન થવામાં શુદ્ધોપયોગકારણ છે બીજું કોઈ કારણ નથી. જેના દર્શનનું આ પરમ સત્ય સ્વરૂપ છે. રાગને જીવ કરે છે, રાગને કર્મ કરે છે, જીવ તથા કર્મ ભેગા મળીને તેમ કરે છે, તેમ કહેવામાં આવે છે તો આ ત્રણમાં ખરું શું સમજવું? - રાગ તે જીવના અપરાધથી થાય છે તેથી જીવરાગનો કર્તા છે, પણ જીવ સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવા રાગનો કર્તા-કર્મ છે. કર્મ વ્યાપક થઈને રાગને કરે છે તેમ કહેવામાં આવે છે. પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય ત્યારે જીવ અને કર્મ બંન્ને ભેગા મળીને રાગને કરે છે એમ કહેવામાં આવે છે. જેમ માતા અને પિતા બંન્નેનો પુત્ર કહેવાય છે તેમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોત છે તે વિકારનો કર્તા નથી. વિકારનો કર્તા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારના કર્મો અને તેમના૧૩ પ્રકારના પ્રત્યયો/ગુણસ્થાનનાર્તા છે. આત્મા શુદ્ધચેતન્યમૂર્તિ છે. તે વિકારનો કર્તા નથી. સ્વભાવ દૃષ્ટિ થી જોઈએ તો વિકારનું કારણ સ્વભાવ છે જ નહિ, તેથી વિકારનું નિમિત્ત જે કર્મ છે તેની સાથે વિકારને વ્યાપ્ય-વ્યાપક ગણવામાં આવે છે. - દ્રવ્યગુણત્રિકાળશુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાય નીતે સમયની યોગ્યતાથી ક્ષણિક વિકાર થાય છે. કર્મ થી વિકાર થતો નથી. કર્મનું નિમિત્તનું લક્ષ કરીને તે સમયની યોગ્યતાથી જ વિકાર થાય છે. વિકાર તે સમયનું સ્વતંત્ર પરિણમન છે. નિશ્ચયથી કે વ્યવહારથી આત્મા પરનું કરી શક્તો જ નથી. પરની ક્રિયા સ્વતંત્રપણે થાય છે તેનું જ્ઞાન કરવું અને તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “આણે આર્યું એમ ઉપચાર થી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ પરનું વ્યવહાર કરી શકે છે એમ માનવું તે વ્યવહારનયનથી, તે તો મિથ્યાત્વ છે. શરીર અને રાગ એ બંન્ને તારા (આત્માના) નથી. શરીર તો એના કારણે ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે અને રાગ પણ એના કારણે ષટકારકથી પરિણમે છે. તું તો એ બંન્નેનો જાણનાર છે. એક સમયમાં પર્યાયષટકારથી સ્વતંત્ર પરિણમે છે, દ્રવ્યના કારણે નહિ. પૂર્વ પર્યાયની કારણે ઉત્તરપર્યાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy