SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જીવ અજીવનાકાર્ય ભલે નકરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમકરી શકે છે ને ? જીવ પોતાના પરિણામ પણ ગમેતેમ નકરીશકે. પણ જે પરિણામ ક્રમસર જ થવાના છે તે જ થાય છે. આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જગતમાં બધુ વ્યવસ્થિત ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે પણફેરફાર કાંઈ થઈ શકતો નથી. પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું ? ખરેખર તો એ જ્ઞાતાદ્દષ્ટા જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમકથન આવે, કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દ્દષ્ટિ માં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદ્દષ્ટા જ છે-કર્તા નથી. જ્ઞાતાદ્દામાં જ અનંતો પુરુષાર્થ છે. પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નથી. પદ્રવ્યથી તો પોતાની પર્યાય થતી નથી પણ પોતાના દ્રવ્યથી પર્યાય થઈ તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની યોગ્યતાથી સ્વકાળે થાય છે એ નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્ત્વકર્મનો નારાથયો તેમ તો છે જ નહિ, પણ સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્ત્વ ભાવનો વ્યય થયો તેમ પણ નથી . સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર થયો છે, મિથ્યાત્ત્વભાવનો વ્યય પણ સ્વતંત્ર થયો છે. કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયોતેકેવળજ્ઞાનાવરણી અભાવ થયો માટે તો નહિ, પણ પોતાના દ્રવ્યનાકારણેકેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તેમ પણ નથી. પર્યાયનો પર્યાયના ષટકારકથી સ્વતંત્ર ઉત્પાઠ થયો છે. દ્રવ્ય ઉપર લક્ષ ગયું છે તે પર્યાયના સામર્થ્યથી દ્રવ્ય ઉપર જાય છે, દ્રવ્યના કારણથી નહિ. સમ્યગ્દર્શનની પર્યાયનુ લક્ષ દ્રવ્ય ઉપર જાય છે એ પર્યાયનું સામર્થ્ય છે. ખરેખર તો પર્યાય પર્યાયના સ્વકાળથી, જન્મક્ષણથી પર્યાય થવાની હોય તે જ થાય છે, દ્રવ્યથી પર્યાય થાય છે તેમ કહેવું એ પણ વ્યવહાર છે. ઉત્પાદ પર્યાયનો દ્રવ્યકારણનથી અને વ્યય પણકારણનથી. તે ઉત્પાદ પર્યાયનો નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યના આશ્રયથી થાય છે તેમ કહેવુ તે અપેક્ષિત કથન છે, સમ્યગ્દર્શન પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ છે પણ તે પર્યાય નું લક્ષ દ્રષ્ય ઉપર છે તેથી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમકહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન પર્યાયને પરથી ભિન્ન પડવાનોબેઠજ્ઞાન પર્યાય થવાનો સ્વકાળછે, જન્મક્ષણ છે ત્યારે જ તે પર્યાય થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy