SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ આત્માને ક્રોધાદિરૂપ અથવા જ્ઞાનરૂપ કોણ કરે છે? શું કર્મનો ઉદય અથવા પ્રતિકૂળ સંયોગ તેને અજ્ઞાનરૂપ નથી કરતો ? જેમ સફેદ રાંખ ગમે તેટલી કાળી માટી વિગેરે ખાય છતાં તે કાળી વસ્તુ સફેદ શંખને કાળી કરી શકતી નથી. તેમ ચૈતન્ય સ્વરૂપ આત્માને ગમે તેવો આકરો કર્મનો ઉદય આવે ને આકરા પ્રતિકૂળ સંયોગો આવે તે પણતે જ્ઞાન સ્વરૂપ આત્માને અજ્ઞાનરૂપે કરી શક્તા નથી. આત્મા જો ક્રોધાદિ અજ્ઞાનરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે પણ પરદ્રવ્યો આત્માને બીલકુલ વિકાર કરાવી શક્તાં જ નથી. દેવ ગુરુ આદિ પરદ્રવ્યના લઈને આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રરૂપે થાય છે, એમ પણ નથી. પરંતુ આત્મા પોતેજ પોતાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણરૂપે પરિણમે છે. તેથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. પરદ્રવ્ય આત્માને અજ્ઞાની કે જ્ઞાની ખીલકુલ કરી શકતા નથી. આત્મા પોતે જ પોતાના અપરાધથી ક્રોધાદિરૂપ અને પોતાના ગુણથી જ્ઞાનરૂપે થાય છે. ગોમ્મટ સારમાં કર્મને લઈને વિકાર થાય છે એમ કહ્યું છે તે અપેક્ષા ખરાખર સમજવી જોઈએ. વિકારી અવસ્થા થાય છે તે પર્યાયનીયોગ્યતાના સ્વકાળથી થાય છે, કર્મના લઈને થતી નથી. પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે. તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કર્મને લઈને થાય છે તેમ કહ્યું છે. સમયસારમાં પણ વિકારનો કર્તા પુદ્ગલ કર્મને કહ્યું છે. ત્યાં દ્દષ્ટિનું દ્રવ્ય પર જોર વર્તે છે તે બતાવવા વિકારરૂપે આત્મા થતો નથી તેમ બતાવીને જે અલ્પ વિકાર છે તેનો કર્તા જીવ છે તેમ કહ્યું છે. ત્યાં એ વિકારી પરિણમન કર્મનું નથી પણ જીવનું જ છે તેમ બતાવવુ છે. જયાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા ખરાબર સમજવી જોઈએ. તો જ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેવું સમજમાં આવી શકે. રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંતવાર કર્યા, પણ આત્માના સભ્યજ્ઞાન વિના ભવના અંત ન આવ્યા, ભવના અભાવ કરવાની આ વાત છે. એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય થવાથી ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જયાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથીરાગ-દ્વેષ થવાની લાયકાતક્ષણેક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવુ જ સમ્યક્ નિર્ણયનું જોર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy