SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧. • એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી તો દૂધના તપેલામાં એક ટીપું ઝેર પડતાં બધું ઝેરરૂપ થઈ જાય છે તેનું કારણ કોણ? દરેક પરમાણું પોતાના કારણ-કાર્ય છે. દૂધના પરમાણું ઝેર રૂપે પોતાથી પરિણમે છે, બીજા ઝેરના રજકણથી નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ. આ વીતરાગની વાત માને કોણ? • શું જીવને અજીવની સાથે કારણ કાર્ય ભાવ સિદ્ધ થતો નથી? દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જીવ પોતાના પરિણામથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય-કારણ ભાવ સિદ્ધથતો નથી. હોઠ હલે છે, વાણી નીકળે છે, તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતા નથી. દાળ, ભાત, શાક થાય છે તેને જીવ કરી શકતો નથી. રોટલીના કટકા (ટુકડા) થાય છે તેનો કર્તા જીવ સિદ્ધ થતો નથી. શરીરના અવયવોનું હલન-ચલન થાય છે તેનોકતંજીવ છે એમસિદ્ધ થતું નથી પણતે અજીવના કાર્યનો કર્તા પુદ્ગલ દ્રવ્યો છે એમ સિદ્ધ થાય છે. • વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? મુનિઓ ઉપદેશદેતા જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે -એમ શાસ્ત્રમાં થનો આવે પણ ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વ-પર જાણવું સહજ છે. પરની અપેક્ષા જ નથી. જાણવાનો આત્માનો સ્વભાવ જ છે. • જે વાણીનો કર્તા આત્મા નથી તો ‘મુનિઓને સત્ય વચનો બોલવા એમ શાસ્ત્રોમાં શા માટે કહ્યું છે? સમ્યકજ્ઞાનપૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે, જે વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાયકે “મુનિઓએ સત્ય બોલવું , તેમાં એવો આશય છે કે મુનિવરોએ આત્મસ્વરૂપમાં સ્થિર થઈને (રહીને) વાણી તરફનો વિકલ્પ જ થવાનદેવો અને જો વિકલ્પથાયતો અસત્યવચનતરફનો અશુભરાગતોન જ થવા દેવો, પણ આત્મા જડવાણીનો કર્તા છે એમ કહેવાનો આશય નથી. • પરદ્રવ્યના કાર્ય ભલે કરી શક્તો નથી પણ અનાસક્તિ ભાવે પરને સુખી કરીએ, સગવડતા આપીએ તો? પરને હું સુખી કરી શકું છું, અનુકૂળતા આપી શકું છું એ દૃષ્ટિ જ મિથ્યાત્વની ભ્રમણા છે. પરને સુખી કરી શકું, પરને લાભ કરાવી દઉં, એ કર્તા બુદ્ધિનું અભિમાન છે, અનાસક્તિ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy