SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા-કર્મ સંબધ ભૂમીક આ લોકમાં છ દ્રવ્ય છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કળા છે યે દ્રવ્ય સ્વતંત્ર છે. બધાય પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન અને સંપૂર્ણ સામર્થ્યવાન છે. પોતાનાકાર્ય માટે તેને રંજ માત્ર પણ બીજા દ્રવ્યની અપેક્ષા નથી. તો આવી નિશ્ચિત વ્યવસ્થામાં એકદ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ કેવી રીતે હોઈ શકે? કોઈપણ દ્રવ્ય વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી. આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત માત્ર પણ કરી શક્તો નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી. છતાં પણ કોઈ એમ માને હું પરનું કાર્યકરું છું તેમ માનવું એ જ મિથ્યાત્વનું મોટું પાપ છે. એક વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટે છે. અન્ય વસ્તુથી બહાર લોટતી વસ્તુ અન્યને શું કરી શકે? સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે દરેક વસ્તુ પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે, પણ પરવસ્તુને અડતીકે સ્પર્શ કરતી નથી, તે અન્ય વસ્તુ અન્ય વસ્તુને કરે શું? દરેક વસ્તુ પોતપોતાથી સ્વતંત્ર પરિણમે છે. એવો સર્વજ્ઞ ભગવાનનો દિવ્ય ધ્વની માં ઢઢરો છે. છતાં એક દ્રવ્યને હું કરી શકું છું, પલટી શકું છું- એવી માન્યતામાં અનંત પદાર્થોને હું પલટી શકું છું- એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. પાણીની બહાર લોટતી અગ્નિપાણીને અડ્યા વિનાગરમ શી રીતે કરી શકે? શાકની બહારલોટતીછરી શાકના કટકાશીરીતે કરે? શાકના કટકાનીપર્યાય વસ્તુથી પોતાથી જ સ્વયં થાય છે, તેને બહાર લોટતી છરી અડતી જ નથી તો કરે શું? સ્ત્રીનો હાથવેલણની બહારલોટે છે, વેલણરોટલીથી બહારલોટે છે, તો બહાર લોટતી વસ્તુ અન્ય વસ્તુને કરે શું? વસ્તુની તે સમયની પર્યાયના યોગ્યતા પ્રમાણે વસ્તુઓનાક્રમ પ્રમાણે પરિણમે છે, એ સિદ્ધાંત છે. આવી વસ્તુની સ્વતંત્રતા છે, તો પણ માત્ર કર્તાપણાનું અભિમાન અજ્ઞાની કરે છે. પરનું કાંઈક કરવું તે પરમાર્થ- એ વાત જ તદ્દન ખોટી છે. પરના કામ કરવા તે પરમાર્થ-એવો લોકોને મોટો ભ્રમ થઈ ગયો છે. પરમ+અર્થ= પરમપદાર્થ ઉત્કૃષ્ટપદાર્થતેતો આત્મા છે, તેને ઓળખવો તે જ સાચો પરમાર્થ છે. પરમ પદાર્થ એટલે મોક્ષ, તેનો ઉપાય કરવો એટલે આત્માની સમજણ કરવી તે જ પરમાર્થ છે. હું પરનું કામ કરી શકું એ માન્યતામાં આત્માના પરમાર્થનું ખૂન થાય છે. કોઈ આત્મા પરનાકામ કરી જ શકતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy