SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ કહે છે. તે ચાર પ્રકારના છે. • પ્રાગ ભાવ પ્રધ્વંસ ભાવ અન્યોનયા ભાવ અત્યંતા ભાવ પ્રાગ ભાવ - વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તે. પ્રધ્વંસ ભાવ - આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયનો જે અભાવ છે. અન્યોનયા ભાવ - પુદ્ગલ દ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયના અભાવ. અત્યંતા ભાવ - એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યંતા ભાવ કહે છે. 28 ઉપરોક્ત સિદ્ધાંતોમાંથી એ નિષ્કર્ષ નીકળે છે કે વિશ્વનો પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વયંના ગુણોમાં જ નિરંતર, કોઈપણ બીજાની સહાયતા વગર, પોતપોતાની પૂર્વ અવસ્થાઓને છોડતો થકો નવીન નવીન અવસ્થા અર્થાત્ પર્યાય રૂપ ઉત્પન્ન થયા કરે છે. એવો કોઈપણ સમય નથી આવતો કે કોઈપણ દ્રવ્ય કોઈપણ સમયે પોતાનો ઉપરોક્ત કમ છોડી દે અર્થાત્ એક સમય માટે પણ અટકી જાય. તાત્પર્ય એ છે કે હું પણ અનંત દ્રવ્યોમાં જ એક જીવ દ્રવ્ય છું.” હું મારા અનંત ગુણોમાં પરિપૂર્ણ છું, સાથે સાથે પોતાના ગુણોની પ્રત્યેક સમય પૂર્વ અવસ્થા છોડીને બીજા કોઈની પણ સહાયતા મદદ વગર નવીન નવીન અવસ્થાઓને નિરંતર કરતો થકો અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છું અને અંતકાળ સુધી એવી રીતે વિદ્યમાન જ રહીશ. મારા આ પરિણમનમાં અન્ય - દ્રવ્યોની સહાયતાની કોઈ અપેક્ષા નથી કારણ કે અન્ય દ્રવ્યો પણ મારી જેમ પોતપોતાના ગુણોમાં નિરંતર કોઈની પણ સહાયતા વગર પરિણમન કરી રહ્યા છે. એટલે કે મારા પરિણમનમાં સહાયતા કરી પણ કેમ શકે? ન જ કરી શકે એવી વસ્તુ વ્યવસ્થતા છે. ઉપરોક્ત સિદ્ધાંતની ચાર અભાવોના માધ્યમથી દૃઢતાપૂર્વક ખાત્રી થાય છે. કોઈપણ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યતાભાવ છે. એટલે કે જેનો જેમાં અભાવ જ હોય તો તે તેમાં શું કરી શકે? કેવી રીતે કરી શકે? શક્ય નથી. આ ઉપરોક્ત ચર્ચાના નિષ્કર્ષ અનુસાર “જીવ' નામનો આત્મા પણ એક વસ્તુ છે. એટલે એનો પણ ધર્મ એના સ્વભાવરૂપ પરિણમન કરવાનો છે. આત્માનો સ્વભાવ 'જ્ઞાન' છે એટલે આત્માનો જાણનરૂપ પરિણમન જ એનો ધર્મ છે. એ જ સ્વભાવરૂપ ધર્મ છે. વિભાવરૂપ અર્થાત્ રાગાદિરૂપ પરિણમન એનો ધર્મ નથી, અધર્મ છે. આત્માનો સ્વભાવ તો માત્ર જાણવું એ જ ધર્મ છે. જે ધર્મની પૂર્ણ પ્રગટતા અરિહંત સિદ્ધ - ભગવાનમાં પ્રગટે છે. એ તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જે આત્મજ્ઞ એ સર્વજ્ઞ. એ પોતાના આત્માને જાણતા થકા સર્વને જાણે છે. એ વીતરાગ હોવાથી - સકલ વસ્તુના જ્ઞાતા હોવા છતાં, સંપૂર્ણ લોકાલોકના પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયને એક જ સમયે જાણતા હોવા છતાં કોઈપણ દ્રવ્યના પરિણમનમાં કાંઈ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy