SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં નથી. માત્ર જ્ઞાયક રહી બિરાજમાન છે. એ જાણે છે કે દરેક દ્રવ્યનું પરિણમન સંપૂર્ણ સ્વતંત્ર છે. એનો જ ઉપદેશ કરે છે. આ રીતે દ્રવ્યના પરિણમનની સ્વતંત્ર વસ્તુ વ્યવસ્થતા છે. વસ્તુ વ્યવસ્થતા તો એમ જ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં જો કોઈ વસ્તુ બીજાની વસ્તુ વ્યવસ્થતામાં હસ્તક્ષેપ કરે અને પોતાના પરિણમન વડે બીજાના પરિણમનમાં હસ્તક્ષેપ કરી એનું પરિણમન રોકી શકે એવી રીતે દરેક વસ્તુના હસ્તક્ષેપ કરવાના સામર્થ્યને જો સ્વીકારવામાં આવે તો વસ્તુ વ્યવસ્થતા જ નાશ પામે – સમાપ્ત થઈ જાય. જડ ચેતનના પરિણમનમાં હસ્તક્ષેપ કરે તો બંનેનો નાશ થાય. છતાં પણ બધાના પરિણમન એક સાથે થતાં હોવાથી જોગાનુજોગ એક દ્રવ્યના પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનું પરિણમન સહજરૂપે, કાંઈ પણ બીજા પ્રયાસ વગર અનુકૂળ અથવા પ્રતિકૂળ દેખાવા લાગે - ભાસવા લાગે ત્યાં અજ્ઞાનતા અને મિથ્યા માન્યતાથી ઘણો બધો ભ્રમ થાય છે. કારણ કે જ્યારે એ અનુકૂળ - પ્રતિકૂળ દેખાતા દ્રવ્યના પરિણમનને ખબર પણ નથી કે મારું પરિણમન કોઈને અનુકૂળ - પ્રતિકૂળ થઈ રહ્યું છે. ખરેખર એમ નથી. ખરેખર સમસ્ત દ્રવ્યોના પરિણમન પોતપોતાના ક્રમ અનુસાર અનાદિ અનંતકાળ સુધી નિબંધ થયા કરે છે અને આ જ વસ્તુની અને વિશ્વની અત્યંત સુંદર વ્યવસ્થતા છે. આત્મા મૂળભૂત શુદ્ધ સ્વભાવે અરૂપી-અવિકારી- અવિનાશી - નિરંજન - શુદ્ધ સ્વરૂપીઅનંતજ્ઞાનમય-અનંત સુખમય છે. પરંતુ અનાદિથી પુદ્ગલકર્મોના સંયોગથી રૂપી-વિકારી - રાગી - દ્વેષી, ક્રોધાદિ દશાવાળો થતો પોતાને માનતો થકો અજ્ઞાનભાવે - મિથ્યાત્વથી પોતાનું ભાન ભૂલ્યો છે. જો એને પોતાના સાચા સ્વરૂપની જાણ અને શ્રદ્ધા થઈ જાય તો તેના બધા દુઃખ દૂર થઈ જાય. # જે પરિણમિત થાય છે તે કર્તા છે - જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ તે ક્રિયા છે. આ ત્રણેય વસ્તુ સ્વરૂપમાં અભિન્ન છે. 8 હકીકતે પરવસ્તુઓ સાથે આત્માનો (જીવનો) જો કોઈ સંબંધ કહેવામાં આવે તો પરમ - પવિત્ર એક માત્ર જોય - જ્ઞાયક સંબંધ જ છે. અન્ય કોઈપણ પ્રકારનો કિંચિતમાત્ર પણ સંબંધ જ નથી. આ જ વસ્તુ અને વિશ્વની વ્યવસ્થતા છે. # આ દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત અને સંપૂર્ણ એવી ભલી - પૂર્ણ - યોગ્ય - નિત્ય વિશ્વ વ્યવસ્થતા જો જીવના જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવી જાય તો જીવની બધી જ આકુળતા - વ્યાકુળતાનો અંત આવી જાય અને સંપૂર્ણ સુખદ - એક નિરાબાધ - નિરાકુળ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. આ સંપૂર્ણ વ્યવસ્થતા સમજવાનો હેતુ - પ્રયોજન આ જ છે. Jain Education International For Persola & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy