SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે આ સુનિશ્ચિત થયું કે ઉપાદાન - ઉપાદેય સંબંધ અને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ કાર્ય કારણ સંબંધના જ રૂપ છે. જે પ્રત્યેક કારણ - કાર્યના સંબંધના અનિવાર્ય રૂપથી ઘટિત થાય છે. પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પણ છે અને નૈમિત્તિક પણ છે. ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક છે. છે જ્યારે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય છે. તેને શોધવા જવું પડતું નથી. થિ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે નિમિત્તોને અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવાય છે. પરદ્રવ્ય કોઈ જબરજસ્તી કોઈના ભાવ બગાડતું તો નથી. જ્યારે પોતાના ભાવ બગડે છે ત્યારે કોઈ બાહ્ય નિમિત્ત હોય છે અને ઘણી વખત તે બાહ્ય નિમિત્ત સિવાય પણ ભાવ બગાડે છે એટલે નિયમથી નિમિત્ત પણ નથી. આ રીતે પોતાના ભાવ બગાડવા તે સ્વતંત્ર - ક્રિયા છે. અને પદ્રવ્યો કોઈના કાંઈ ભાવ બગાડી શકે એમ તો નથી. આ રીતે પરદ્રવ્યોનો દોષ દેખવો તે મિથ્યાત્વ છે. વક બહુ જ આ સમજવા જેવી વાત છે કે ન તો નિમિત્ત ઉપાદાનમાં બળથી કાંઈ કરે છે અને ન તો ઉપાદાન કોઈ નિમિત્તોને બળપૂર્વક લાવે છે. બંન્નેનો સહજ સંબંધ છે. નિમિત્ત - નૈમિત્તિક સંબંધની આ સહજતા આવી રીતે જ છે. & જો કર્મ સ્વયં કર્તા થઈને ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રીને ભેળવે, ત્યારે કર્મનું ચેતનપણું અને બળપણું પણ જોઈએ ને? તે તો છે નહિ - આ તો સહજ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. થી જ્યારે એ કર્મનો ઉદય કાળ હોય છે એ સમયે સ્વયં આત્મા જ સ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે અને જે અન્ય દ્રવ્ય (કર્મ) છે તે એ જ રીતે સંબંધરૂપ થઈને પરિણમન થાય છે. નિમિત્ત -નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે. એને કર્તા-કર્મ સંબંધમાં પ્રસ્તુત કરવો યોગ્ય નથી. 988 દરેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે. એટલા માટે સ્વયં જ ષટકારરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એને પોતાના કાર્ય કરવા માટે બહારની સામગ્રીની અપેક્ષા નથી. તેમજ તે સામગ્રી કોઈ મદદ કરી શકતી નથી. થી સ્વભાવના ભાવોમાં તો પરનું કર્તુત્વછે જનહિ. પરંતુ વિભાવ ભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy