SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુઃનિવાર છે ને અનાદિકાળથી છે. અજ્ઞાની જીવ એમ પણ માને છે કે ‘અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું; સદ્ગુરુ વગેરે નિમિત્ત મળ્યા માટે સમ્યક્ત્વ થયું’ આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. ૐ આ ભ્રમ જ ઉપાદાન - નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે અર્થાત્ સ્વભાવ દ્દષ્ટિથી સ્થૂત થઈને સંયોગદ્દષ્ટિને લીધે જ જીવ અનાદિકાળથી સંસાર સમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. ૐ કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા હોય તેજ સમયે તે દ્રવ્ય કાર્યરૂપે પરિણમે છે. દરેક પરમાણું તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. આવી વસ્તુની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. તત્ સમયની યોગ્યતા સમર્થકારણ છે. 8 જેમ ત્રિકાળી દ્રવ્ય સત્ છે તેમ પ્રત્યેક સમયની એક એક પર્યાય પણ તે સમયનું સત્ છે. આનું જ નામ ઉપાદાન. ૐ સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુસ્વભાવ છે, એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરદ્રવ્ય પરથી સાચી ઉદાસીનતા આવે નહી. આ સ્વતંત્રતા તે જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. ૐ જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે. આ બંન્ને ઊંધા ભાવ છે. આ ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. પોતાના ઉપાદાન સ્વભાવના સ્વતંત્ર ભાવોને ઓળખીને તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું લક્ષ જે જીવો છોડે છે તે સ્વરૂપમાં સ્થિત રહે છે. તેમની ભ્રાંતિનો નાશ થઈ સમ્યગ્દર્શન થાય છે અને રાગનો નાશ થઈ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે. ઉપાદાન - નિમિત્તનું જ્ઞાન થતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટ થાય છે. ઉપાદાન-ઉપાદેય/નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ૐ જેમ ઘડારૂપ કાર્ય માટીરૂપ ઉપાદાન કારણનું ઉપાદેય છે તે જ ઘડારૂપ કાર્ય કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન - ઉપાદેય સંબધ છે, જ્યારે કુંભાર અને ઘડામાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. ૐ હવે આજ સિદ્ધાંતને સમ્યગ્દર્શન રૂપ કાર્યમાં ઘટીત કરીએ તો આ રીતે કહી શકાય. આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એ જ રીતે મિથ્યાત્ત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. Jain Education International ૧૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy