SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ% ભગવાન આત્માની પોતાની સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ નિર્મળ પર્યાયો તેમજ રાગાદિક વિકારી પર્યાયોનો પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમન થાય છે. એમાં પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ નથી. “ હા, એ અવશ્ય છે કે જ્યારે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો અથવા રાગાદિ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતાને અનુસાર પરિણમન થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથી તેને કર્તા ન માની શકાય. નિમિત્તને કર્તા માનવાથી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માનવાથી દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થાય છે. તે દ્રવ્ય ઘાત પામે છે. આ શક્ય નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી પરિણમનશીલ છે. જ્યારે નિત્ય રહીને નિરંતર પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. તો પછી પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા કેમ હોય? કારણ કે સ્વભાવ નિરપેક્ષ છે. જે પરની અપેક્ષા રાખે તેને સ્વભાવ કેમ માની શકાય? 38 એટલા માટે પ્રત્યેક દ્રવ્યમાં તેના પોતાના સ્વભાવાદિને કારણ સ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણથી પ્રત્યેક સમયનું ઉત્પાદ - વ્યય સ્વયં થાય છે. પ્રતિ સમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચિય ઉપાદાન સુનિશ્ચિત છે. આવી આ સુનિશ્ચિત વ્યવસ્થતાનું પોતાની ઈન્દ્રિયો, પ્રત્યક્ષ - જ્ઞાન, તર્ક અને અનુમાન ના આધારે જાણવું એ જ આપણો ધર્મ છે. નિશ્ચિચ અને વ્યવહાર (નવ) ફક જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની મુખ્ય પાંચ રીત છે. • શબ્દાર્થ: નયાર્થ૦ મતાર્થ૦ આગમાર્થ ભાવાર્થ 8 નયાર્થ - ક્યા નયનું કથન છે? તેમાં ભેદ - નિમિત્તાદિનો ઉપચાર બતાવનાર વ્યવહારનયનું કથન છે અને વસ્તુ સ્વરૂપ બતાવનાર નિશ્ચિયનયનું કથન છે તે નક્કી કરી અર્થ કરવો તે નવાર્થ છે. 9 પદાર્થને જાણવાના કેટલા ઉપાય છે? ચાર ઉપાય છે. • લક્ષણ ૯ પ્રમાણ ૦ નય નિક્ષેપ લક્ષણ - ઘણા એક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. દા.ત. જીવનું લક્ષણ ચેતના. • પ્રમાણઃ - સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અથાત્ સાચું જ્ઞાન કહે છે. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રમાણ વસ્તુના સર્વદેશને (બધા પડખાને) જાણે છે. Jain Education International - For Perso1 Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy