SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ - :: S पूजना तो कीजेरेबारमा जिन रणारे, जसुप्रगट्यो पूज्य स्वभावा परकृत पूजारेजेइच्छे नहीं रे, साधक कारज दाव॥ [3ના. તદk: अर्थ : जिनका पूज्य पूर्ण शुद्ध स्वभाव प्रकट हो चूका है और जो परकृत-अन्य से पूजा करवाने के अभिलाषी नहीं हैं तथापि साधक की सिद्धता में परम साधन हैं, ऐसे श्री वासुपूज्य स्वामी भगवान की पूजा मुमुक्षु आत्माओं को अवश्य करनी चाहिए। અર્થ : જેમનો પૂજ્ય, પૂર્ણ, શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો છે અને જે પ૨કુત-બીજા પાસેથી પૂજા કરાવવાના અર્થી નથી, છતાં સાધકની સિદ્ધતાના પરમ સાધન છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની પૂજા મુમુક્ષ આત્માઓએ અવશ્ય કરવી જોઈએ. સ્વો. બાલાવબોધ : હવે, બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામીની રસ્તવના કરે છે, હે ભવ્ય જીવો ! તમારે જો આત્માને સુખી કરવાનું મન છે, તો બારમા જિન વીતરાગ શ્રી વાસુપૂજ્ય પુરુષોત્તમની પૂજના કીજૈ. એટલે, સકલ ગુણ નિરાવરણ, પરમ ચારિત્રી, પરમ જ્ઞાની, અર્યાગી, અભોગી, અલેશી, અસહાયી, અકષાયી, અરૂપી, શુદ્ધ સ્વરૂપી,જે સિદ્ધ સકલ પરભાવ-અભોગી પુગલોપચારરહિત એડવો પૂજ્ય-ભાવ જેહનો પ્રગટ્યો છે, તેહની પૂજા કીજૈ. જે ભક્તિના રાગી નહીં અને અભક્તિના દ્વેષી નહીં, એહવા સર્વજ્ઞ તેથી જ પૂજવા યોગ્ય છે. उक्तं च आप्तमीमांसायां - રેવાન-નમોલાન, વામરવિપૂત : / मायाविष्वपि दृश्यन्ते, अतस्त्वमसि नो महान् ।। १ ।। सूक्ष्मान्तरितदूराः प्रत्यक्षाः कस्यचिद् यथा । अनुमेयत्वतो ज्ञान-मिति सर्वज्ञशंसितम् ।। १ ।। अइसय पाडिहेरा, सबकम्मउदयसंभूआ । તેનું ન વિદગો કે, વિકો વીરા રે || 9 ||'' અર્થ : દેવતાઓનું આગમન, વિમાન અને ચામરાદિ વિભૂતિઓ તો માયાવીઓમાં પણ દેખાય છે, તેટલા માત્રથી તું મહાન નથી. સૂક્ષ્મ અને અદશ્ય એવા દુષ્કર પદાર્થો પણ કોઈકને પ્રત્યક્ષ હોય છે, કેમકે (તે પદાર્થોના) અનુર્મયપણાથી (તેમનું) જ્ઞાન થાય છે, માટે બીજાઓ પણ સર્વજ્ઞ કહેવાય છે. વળી, અતિશયો, પ્રાતિહાર્યો વગેરે સર્વ કર્મના ઉદયથી થયેલા છે, તેને કારણે હું (તારાથી) વિસ્મિત નથી પરંતુ (તારી) વીતરાગતાને કારણે વિસ્મિત છું ! વલી, પ્રભુનું પૂજ્યપણું કહે છે, જે પ૨-કૃત દેવતા-મનુષ્ય ગુણ-રાગી થકા અનેક પ્રકારની ભક્તિ-પૂજા કરે છે, પરંતુ પરમેશ્વર કોઈની પૂજા ઈચ્છતા-વાંછતા નથી. ઈચ્છા-દોષ રહિત છે માટે પર-ભાવના સંગ તથા પરકૃત-પૂજાને વાંછતા નથી, તે પૂજ્ય જાણવા. અને સાધક જે મોક્ષના અર્થી માર્ગાનુસારી, સમકિતી, દેશવિરતિ, સંવેગપક્ષી, મુનિરાજ, તેમનું કાર્ય જે સંપૂર્ણ સિદ્ધતા, તેહના દાવ કેતાં ઉપાય છે. તેથી જ નિમિત્ત-યોગે અનંત સિદ્ધ નિપના. માટે પોતેં પૂજાના અવાંછક એને પૂજે, તેહને પરમાનંદ-પૂર્ણતા નિપજે. | ર પ્રથમવાર્થ: || 9 || Jain Education International For Personal & Private Use Only ૨૪૫ www ainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy