SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા સ્તવનનો સાર.... આ સ્તવનમાં પરમાત્માની સ્યાદ્વાદમથી શુદ્ધ સ્વભાવ-દશાનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે જાણવાથી ચતુર પુરુષોના ચિત્તમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. પરમાત્મા સ્વ ગુણ-પર્યાયમાં જ રમણતા કરનાર છે.-શુદ્ધ આત્મ-દ્રવ્યની ‘શુદ્ધતા'નું આ જ લક્ષણ છે. ગુણ-પર્યાયના આશ્રયને ‘દ્રવ્ય’ કહેવાય છે. જે એક દ્રવ્યને આશ્રિત હોય તે ‘ગુણ' કહેવાય છે. ગુણ સહભાવી હોય છે, જેમ કે- જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે. અને જે દ્રવ્ય-ગુણ ઉભયને આશ્રિત હોય તે ‘પર્યાય' કહેવાય છે. પર્યાય ક્રમ-ભાવી હોય છે, જેમ કે-દ્રવ્ય-પર્યાય, ગુણ-પર્યાય ઈત્યાદિ તેમજ જીવ દ્રવ્યના નારકત્વાદિ, દેવવાદિ. પર્યાયો અને જ્ઞાનગુણના અતીત, વર્તમાન આદિ પર્યાયો. પરમાત્મા સ્વ ગુણ-પર્યાયરૂપ ભોગ્ય પદાર્થોના જ ભોક્તા છે. પુદ્ગલના વર્ણ-ગંધ- રસ-સ્પર્શાદિને ભોગવવા માટે કામના-ઈચ્છા કરવી પડે છે પરંતુ સ્વ-પ્રદેશોમાં પ્રગટેલા અનંત ગુણ-પર્યાયને ભોગવવા માટે કોઈ અભિલાષા કરવી પડતી નથી એથી જ પ્રભુ ભોગી છતાં પણ અકામી છે ! પરમાત્માની ‘શુદ્ધતા' નિત્યાનિત્યતા, ભેદભેદતા, એકાનેકતા, અસ્તિતા-નાસ્તિતા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મથી યુક્ત હોય છે, તે આ પ્રમાણેનિત્યાનિત્યપણું ઃ સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય છે તેથી ‘નિત્યાનિત્ય’ છે. જે દ્રવ્યનું ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ પર્યાયનું ચક્ર એકત્ર જલાવર્તની જેમ વર્તે છે- ફરે છે તે એક દ્રવ્ય અને જેનું ચક્ર જુદું-જુદું ભિન્ન-ભિન્ન હોય તે સર્વે જુદાં-જુદાં દ્રવ્ય કહેવાય છે. જેમ કે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ દરેક એક દ્રવ્ય છે, જ્યારે જીવ અને પુગલ અનંતા છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું નિત્યા નિત્યપણું : અભિનવ પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ ‘અનિયતા’ છે અને તે અગુરુ-લઘુ આદિ પર્યાયની અપેક્ષાએ સમજવી. જેમ કે, આત્માના એક પ્રદેશમાં અગુરુ-લઘુ પર્યાય અનંતગુણ છે, બીજા પ્રદેશમાં તેથી અનંતભાગહીન છે, ત્રીજા પ્રદેશમાં તેથી પણ અસંખ્યાતગુણા વધારે છે ઈત્યાદિ. તથા એ પર્યાયની હાનિ-વૃદ્ધિમાં પ્રતિસમય પરાવર્તન થયા કરે છે. જે પ્રદેશમાં અનંતગુણ હોય છે તે જ પ્રદેશોમાં અસંખ્યાતગુણ પણ હોય છે. એ રીતે પ્રદેશમાં અનંતગુણનો વ્યય અને અસંખ્યાત ગુણનો ઉત્પાદ થયો એ ‘અનિત્યતા’ છે. પર્યાયની હાનિ-વૃદ્ધિ થવા છતાં અગુરુલઘુ રૂપે એ સદા વિદ્યમાન-ધ્રુવ હોય છે એ ‘નિયતા' છે. જ્ઞાતૃત્વ-ધર્મની અપેક્ષાએ જ્ઞાનગુણમાં નિત્યાનિત્યતા : કોઈ એક વિવક્ષિત સમયે જ્ઞાન જેને વર્તમાનરૂપે જાણે છે, તેને જ બીજા સમયે અતીતરૂપે જાણે છે. તેમાં અતીત(ભૂત)રૂપે ઉત્પાદ અને વર્તમાનરૂપે નાશ થાય છે તથા જ્ઞાનરૂપે ધ્રુવ નિત્ય રહે છે. દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણોની પ્રવૃત્તિ પણ આ રીતે જ થાય છે. કાર્ય-કારણની અપેક્ષાએ જ્ઞાનગુણનું નિત્યાનિત્યપણુંઃ જ્ઞાન ગુણ જ્યારે જાણવારૂપે પ્રવર્તે છે ત્યારે એ ઉપાદાન-કારણ છે અને સર્વનું જ્ઞાન કરવું-જાણવું એ તેનું કાર છે. એક જ સમયમાં જ્ઞાનરૂપ કારણ એ જ્ઞપ્તિરૂપ કાર્યપણે પરિણમે છે તેથી કાર્યરૂપે ઉત્પાદ અને કારણરૂપે થય થયો આ તેની અનિયતા છે અને જ્ઞાનરૂપે તે ધ્રુવ રહે છે એ નિયતા છે. એકતા-અનેક્તા : જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, અરૂપી-અવ્યાબાધ સુખ વગેરે અનંતા ગુ જુદા-જુદા છે તેથી અનેકતા અને તે અનંત ગુણ-પર્યાયનો સમુદાયરૂપ આત્મા એક છે તેથી એકતા. | કાર્યની અપેક્ષાએ પણ ભેદભેદપણું જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું-રમણતાનું કાર્ય કરે છે. આ રીતે સર્વ ગુણો સ્વ-સ્વ કાર્યના કરનારા હોવાથી આત્મામાં ભેદ-સ્વભાવ છે પરંતુ આત્મ-દ્રવ્યમાંથી કોઈ પણ ગુણ જુદો પડતો નથી માટે અભેદ-સ્વભાવ પણ છે. અસ્તિત્વ-નાસ્તિત્વ : આત્મામાં સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે અસ્તિપણું છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નાસ્તિપણું છે અર્થાતુ આત્માના જ્ઞાનાદિ ગુણનો અસ્તિ-સ્વભાવ કદી પણ ચાલ્યો જતો નથી તથા એ આત્મા પરભાવરૂપે પણ કદી પરિણમતો નથી. સાવયવતા અને નિરવયવતા : લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશો છે અર્થાત્ આત્માની અસંખ્ય પ્રદેશરૂપ સાવયવતા છે પરંતુ તે પ્રદેશો પરસ્પર શૃંખલાની જેમ જોડાયેલા છે, કદી પણ તે જુદા પડતા નથી તેથી તેની અખંડતા-નિરવયવતા છે. કર્રતા-અકર્દ્રતા : પરમાત્મા જ્ઞાનાદિ કાર્યના કર્તા હોવાથી કતા રૂપે પરિણમે છે છતાં કંઈ પણ નવીનતા પામતા નથી અર્થાત્ અસ્તિસ્વભાવ તેનો તે જ કાયમ રહે છે. આ પ્રમાણે સર્વ પરભાવથી રહિત અને સ્યાદ્વાદમયી શુદ્ધતાના ભોગી પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી સાધક તત્ત્વરુચિવાળો બને છે અને અનુક્રમે તત્ત્વરમણતા પ્રાપ્ત કરીને તે પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે. Jain Education International www.jainelibrary.org For Personal & Private Use Only | ૧૩૫
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy