________________
પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - પ૭-૧ છે. તે એક પરમાણુને, એક પ્રદેશને તથા એક સમયને છદ્મસ્થ જાણી ન શકે, પરંતુ કેવળજ્ઞાની જ જાણી શકે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશે કર્મનું આવરણ આવેલું છે. પરંતુ આ અસંખ્ય પ્રદેશોમાં આઠ પ્રદેશો એવા છે કે જ્યાં કામણની વર્ગણાનો ટચ થઈ શકતો નથી. આ વાત અત્યારે કરતા નથી, પરંતુ તમે શંકા કરશો નહિ. આ આઠ પ્રદેશોને રુચક અથવા નિર્મળ પ્રદેશો કહે છે. એટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ કાયમ રહેવાનો છે. એનો અર્થ એવો થયો કે તે સદાય જાણવાના સ્વભાવવાળો છે તેથી એને કહેવાય છે ચેતન. જડનો સ્વભાવ જુદો છે અને ચેતનનો સ્વભાવ પણ જુદો છે. એ બંને વચ્ચે સબંધ હોઈ શકે, સંયોગ હોઈ શકે પણ એકત્વ ન હોઈ શકે. સંયોગ સંબંધ ખરો પણ એકમેકમાં મળી જાય એવું બની ન શકે. દૂધમાં સાકર નાખો તો દૂધનો પણ સ્વાદ આવશે અને સાકરનો પણ સ્વાદ આવશે. સ્વાદ દૂધનો પણ ખરો અને સાકરનો પણ ખરો. સાકર દેખાતી નથી પરંતુ કોઈ પ્રકારે તે બંને એકપણું પામતાં નથી. તમને જડ પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય પણ જડ સાથે એકપણું પામતા નથી. પ્રેમીઓ પ્રેમના આવેશમાં કહેતા હોય છે, આપણે એક જ છીએ, મરી જઈએ પણ છૂટ્ટાં નહિ પડીએ. શરીર ભલે બે છે પરંતુ આત્મા તો એક જ છે. આવું ઘણું બધું બોલશે પણ એક ન થઈ શકે, શક્ય જ નથી. બે વ્યક્તિઓ કે શરીર અને આત્મા બંને એક ન થઈ શકે. ત્રણે કાળ જડ જડ ભાવે જ રહેશે અને ચેતન ચેતન ભાવે જ રહેશે, એવો બંનેનો જુદો જુદો દ્વૈતભાવ છે, એવો અનુભવ થાય છે.
બિલકુલ ધ્યાન રાખજો, થોડી કઠિન વાત છે. બહુ રીપીટ નહિ થાય. ત્રણે કાળ ચેતન ચેતન રહે અને જડ જડ જ રહે એવો બંનેનો જુદો જુદો દ્વૈતભાવ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે. જૈનદર્શન દ્વૈતવાદી છે, વેદાંત અદ્વૈતવાદી છે. બેને એક માને છે, “સર્વ રવત્ત્વિવં બ્રહ્મ’ એમણે એમ કહ્યું કે આ જે કંઈ છે તે બ્રહ્મ જ છે. અમે એક વખત નાનકડા ગામડામાં હતા, ત્યાં પચીસેક માણસો રોજ વેદાંતની ચર્ચા કરવા ભેગા થતા હતા, થોડી ચર્ચા થયા પછી પીવાનું શરૂ. મેં કહ્યું, ભાઈ ! આ વેદાંત અને ચલમ એ બેને મેળ નથી. તેઓ કહે કે મહારાજ ! આ પીવાય છે તે પણ એ છે. પીનારો પણ એ છે, ચલમ પણ એ છે અને ચલમમાં નાખીએ છીએ તે પણ એ જ છે. અને પાનારો પણ એ છે. ‘સર્વ વત્વિવં બ્રહ’ મોટો દાટ વાળ્યો. આને અને તેને કંઈ લેવાદેવા નથી. વેદાંત અદ્વૈતવાદી છે. અદ્વૈતવાદનું કારણ જુદું છે. જૈનદર્શનદૈતવાદી છે, પણ તેણે એક અપેક્ષાએ અદ્વૈતવાદનો સ્વીકાર કર્યો છે. પરંતુ પાયામાં એ વૈતનો સ્વીકાર કરે છે.
જડ અને ચેતન બે તત્ત્વો જુદાં જુદાં છે. જડની-પુગલની અનંત પર્યાયો થાય. ભૂતકાળમાં પુદ્ગલ દ્રવ્ય હતું અને પરિણમનશીલ હતું. વર્તમાનમાં પુદ્ગલ દ્રવ્ય છે અને પરિણમે છે. ભવિષ્યમાં પુગલ દ્રવ્ય હશે અને અનંતકાળ પરિણમશે, એમાંથી અનંત પર્યાયો આવે છે. વતિ રૂતિ દ્રવ્યમ્ | જેમ વરસાદ વરસે છે અથવા ગાયને દોહવા જઈએ અને જેમ એના આંચળમાંથી દૂધ આવે છે, એમ જેમાંથી પર્યાયો ઝર્યા કરે છે એને કહેવાય છે દ્રવ્ય. જડમાંથી પણ પર્યાયો ઝરે છે. પર્યાય એટલે એક સમય પૂરતી વર્તમાન અવસ્થા. વર્તમાન એક સમય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org