SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રવચન ક્રમાંક ગાથા ક્રમાંક દુઃખનું કારણ - સ્વરૂપનું અજ્ઞાન - ૨ ૧ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ - Jain Education International જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (૧) ટીકા : ‘જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો તે પદ જેણે સમજાવ્યું એટલે કે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખો પામત તે મૂળ જેણે છેલ્લું એવાં શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.’ અંબાલાલભાઈની પ્રત્યેક ગાથા ઉપર નાની ટીકા છે. કૃપાળુ દેવની નજર તળે આ ટીકા નીકળી ગઈ છે એટલે સાક્ષીભૂત છે. આત્મસિદ્ધિની યાત્રા બહુ લાંબી છે. કૃપાળુદેવે પહેલી ગાથામાં જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ આપી દીધો છે. બહુ ધીરજથી, શાંતિથી, સ્વસ્થ બનીને સમજવાની ફોશિશ કરીએ. ‘પામ્યો દુઃખ અનંત’ –અનંતકાળથી હું અનંત દુઃખ પામ્યો. આ વાક્યમાં બે પદો સમાવેશ પામ્યા છે. હું અનંતકાળથી દુ:ખો પામ્યો, એનો અર્થ મારું અસ્તિત્વ અનંતકાળથી છે, જન્મથી નથી. હું અજન્મા છું, મૃત્યુથી મારો નાશ નથી. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. દુઃખનો અનુભવ કરનાર કોઈ છે, એ દુઃખનો અનુભવ કરે છે. એ દુઃખનો અનુભવ અનંતકાળથી કરે છે. દુઃખ જેમ અનંતકાળથી છે તેમ દુઃખ ભોગવનારો પણ અનંતકાળથી છે. દુઃખ ભોગવ્યું એનો અર્થ દુઃખનો ભોક્તા થયો અને દુઃખનો ભોક્તા જો હોય તો તેનો કર્તા પણ હોય. આમ બીજા બે પદો આવ્યા (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. બે પદો બહારથી નીકળે છે, જો વિચાર કરશો તો તે બે પદો અંદરથી સમજાશે. આ સંસારની ચાર ગતિઓમાં દુઃખ અનંત છે. નરકગતિમાં સ્પષ્ટ ઉઘાડું દુઃખ જ છે. પશુગતિમાં મધ્યમ દુઃખ, મનુષ્યગતિમાં સામાન્ય દુઃખ અને દેવગતિમાં દેખાય નહિ પણ આંતરિક દુઃખ પાર વગરનું છે. કોઈ દેવને સારી સંપત્તિ હોય, બીજો દેવ એને જુએ ને એને બળતરા થાય છે. દુ:ખી થવાની તેને જરૂર નથી, પણ ઈર્ષ્યાના કારણે ત્યાં પણ દુ:ખી થાય છે. પત્રાંક ૨૧૩ માં કૃપાળુદેવે કહ્યું છે કે આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ત્રણ પ્રકારના તાપ છે. (૧) આધિનો તાપ (૨) વ્યાધિનો તાપ અને (૩) ઉપાધિનો તાપ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy