SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જેમાંથી આત્માનો ઝંકાર મળે છે, જેમાંથી આત્માનું સંગીત આવે છે, આત્માની મહેફીલ આવે છે, આત્માની સુગંધ આવે છે, તેવી હજારો ગાથાઓ આજે વિદ્યમાન છે. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમમાં એક નાનકડા સૂત્રમાં ચૈતન્યનું સ્વરૂપ મૂકી દીધું છે. એમણે કહ્યું કે ‘ઉપયોનો હ્રક્ષળક્’ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ શબ્દ યુઝ-વપરાશ એ અર્થમાં નથી; ઉપયોગ એટલે આત્મામાં પોતાનામાં રહેલી પોતાની જોવાની અને જાણવાની આંતરિક શક્તિ, જોવું અને જાણવું એને કહેવાય છે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ ઉપયોગ બે પ્રકારના છે. સૂર્ય ઉગ્યો હોય ને જોનારો ન હોય તો કોણ કહેશે કે સૂર્ય ઊગ્યો છે ? એ જોનારો-કહેનારો જે અંદર બેઠો છે તે આત્મા અને એનું લક્ષણ દર્શન અને જ્ઞાન-જોવું ને જાણવું. આ તમારું લક્ષણ છે. સત્તા તમારું લક્ષણ નહિ. શરીર તમારું લક્ષણ નહિ. બહાર નીકળો છો ત્યારે દર્પણ પાસે જાવ છો. બે-ચાર મિનિટ જેના માટે આધા પાછા થાવ છો એ તમે નહિ. તમે એનાથી જુદા અને જોનારા છો. એ જોનારાને જાણવો, એ પ્રક્રિયાને કહેવાય છે બુદ્ધિની પ્રક્રિયા-પ્રજ્ઞાની પ્રક્રિયા. ૪ પ્રજ્ઞાને છીણીની ઉપમા આપી છે. ધારદાર છીણી જોઈએ, બુઠ્ઠી નહીં. લાકડા કાપતી વખતે કુહાડી કામ કરે, પણ મજબૂત ગાંઠ જો આવે તો કુહાડી કામ ન કરે. તે માટે મોટા ધારદાર છીણા જોઈએ. તે છીણા મૂકી તેના ઉપર મોટા હથોડાના ઘા કરવા પડે. એમાં રેંગી પેંગી માણસ કે ૮૦ વર્ષનો ડોસો ન ચાલે. મજબૂત બાવડાવાળો ઘા કરનારો જોઈએ. એ ધા કરતો જાય, ઘા કરતો જાય અને બે ફાડ થઈ જાય. પ્રજ્ઞા છીણી છે, ગાંઠ તોડનારી છે. શાસ્ત્રમાં એક અદ્ભુત શબ્દ આવ્યો છે, એ છે ‘ગ્રંથિભેદ’. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે જીવ તીર્થંકરના સમવસરણમાં અનેક વાર ગયો ને ગ્રંથિ સુધી અનેકવાર આવ્યો છે પણ પાછો વળ્યો. ગ્રંથિભેદ ન કર્યો. એ ગ્રંથિભેદ કરવામાં પ્રચંડ સાહસ જોઈએ. પ્રજ્ઞા નામની છીણી અને વૈરાગ્ય નામનો હથોડો જોઈએ. પ્રજ્ઞાની છીણી મૂકીને વૈરાગ્યના હથોડા મારતા જાવ, મારતા જાવ. એક દિવસ એ ગ્રંથિ તૂટી જશે. એક દિવસ નહિ પણ એક ક્ષણમાં તૂટી જશે. આને ગ્રંથિ ભેદની પ્રક્રિયા કહેવાય છે. એ જ્ઞાનમાં, એ પ્રજ્ઞામાં જેની સિદ્ધિ થઈ ને એ નિર્ણય કર્યો કે હું જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ, સત, ચિત, આનંદ સ્વરૂપ આત્મા છું, દેહથી ભિન્ન, ઈન્દ્રિયોથી ભિન્ન, પ્રાણથી ભિન્ન, મનથી ભિન્ન, હૃદયથી ભિન્ન, વૃત્તિઓથી ભિન્ન, વિકારોથી ભિન્ન, વિચારોથી ભિન્ન, વિકલ્પોથી ભિન્ન, નોકર્મથી ભિન્ન, દ્રવ્યકર્મથી ભિન્ન, ભાવકર્મથી ભિન્ન, રાગ-દ્વેષથી ભિન્ન, સર્વ અધ્યવસાયોથી ભિન્ન, આ બધાથી ભિન્નજુદો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. પ્રજ્ઞાના લેવલે આ નિર્ણય થયો પણ આત્મ-તત્ત્વનો અનુભવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy