SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ XXIV શબ્દાર્થ નિમિત્ત આવે તે તે વખતે આપણે જાગૃત ન હોઈએ તો ક્રોધ થઈ જાય છે. નાના બાળકને પણ ક્રોધ કરવાની ખબર પડે છે કેમકે વૃત્તિ તેણે અનંતકાળથી પોષી છે. આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં વૃત્તિઓને પોષવાનું જ કાર્ય કર્યું છે. વૃત્તિઓને ઓળખવાનું લક્ષણ સંજ્ઞા છે. જેમકે આહારની પ્રબળ વૃત્તિ ઊઠે તો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા વિગેરે. મનમાં ઊઠતી વૃત્તિઓને સદ્ગુરુના હાથમાં સોંપવાથી સાધના થાય છે. આ વૃત્તિઓ જીતાય નહિ ત્યાં સુધી આત્માનો આસ્વાદ આપણને મળી શકશે નહિ. વૃત્તિ જે પોષે છે તે સંસારી અને વૃત્તિ રહિત થયો તે વીતરાગ. વૃત્તિનો નિરોધ થાય ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. ગાથા - ૨૯ નિશ્ચયનયઃ- શુદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનાર. નિશ્ચય અવસ્થા છે. નિશ્ચય અંદરમાં થાય છે. નય પક્ષ છે અને યમાં શબ્દોથી વર્ણન છે. દા.ત. આત્મા અજર, અમર, અવિનાશી છે, કર્મથી રહિત છે. કષાય અને ભાવકર્મથી રહિત છે. આ વર્ણન છે. પરંતુ આવી અવસ્થા જીવનમાં અનુભવવી તે નિશ્ચય છે. શબ્દથી પ્રતિતી થાય પણ અનુભવ ન થાય. અંતરંગદશા અને જ્ઞાનદશા બેનો તાલમેલ જોઈએ. અંતરંગમાં સાક્ષીભાવ, જ્ઞાતાદ્રષ્ટાપણું આવ્યું નથી. તથારૂપ ગુણની સ્પર્શના થઈ નથી અને માત્ર શબ્દોમાં રમે તેને નિશ્ચયાભાસી કહેવાય છે. સદ્ વ્યવહાર :- સદ્ગુરુ, સશાસ્ત્ર, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્ર, જાપ, પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, વ્રત, તપ, નિયમ, સાધુસંતોની સેવા આ સવ્યવહાર છે. નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો વ્યવહાર છોડવાની જરૂર નથી. વ્યવહાર એની મેળે છૂટી જશે. આવી અવસ્થા આવ્યા પહેલાં વ્યવહાર જો છોડો તો નિશ્ચયનય પ્રાપ્ત થયો નથી અને સદ્વ્યવહાર પણ રહ્યો નથી. સદ્વ્યવહાર જરૂરી છે પરંતુ નિશ્ચયનયને લક્ષમાં રાખી વ્યવહાર થાય તો જ સાધના જીવનમાં થઈ શકે. ગાથા - ૩૦-૩૧ જ્ઞાનદશા :- જ્ઞાન અને દશા બે જુદા શબ્દો છે. જીવ જ્ઞાન પ્રાપ્ત કરે પણ દશા નહિ. જીવ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પણ દશા પામવી તે કઠિન કામ છે. દશા એટલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy