SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ XXIII જિન - જિન એ જૈન પરંપરાનો શબ્દ છે. જિન એટલે જીતનાર. હંમેશ માટે જેણે રાગદ્વેષ જીતી લીધાં છે તેને કહેવાય છે જિન. અરિહંત કહો કે વીતરાગ કહો કે જિન કહો – બધા શબ્દો એકાર્થી છે. સદૂગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશા પામવા લાયક બને છે. જિન શુદ્ધ આત્મદશારૂપ છે, શાંત છે, તેની પ્રતીતિ જિન પ્રતિમા સૂચવે છે. ગાથા - ૨૬ સદ્દગુરુ, યોગ અને અસદ્દગુરુ વિષે આગળની ગાથામાં આપેલ છે. ગાથા - ર૦ શ્રુતજ્ઞાન :- શ્રવણ કરવાથી જે જ્ઞાનનો ઉઘાડ થાય તેને કહેવાય છે શ્રુતજ્ઞાન. જ્ઞાન એ જ આત્મા છે પરંતુ વ્યવહારથી જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા માટે ઉપદેશ, શ્રવણ, શાસ્ત્ર વાંચન વિ. સાધન છે. શ્રુતજ્ઞાનમાં ઉપદેશ શ્રવણ અને શાસ્ત્રવાંચન સમ્યક્દષ્ટિથી થવા જોઈએ. સંપૂર્ણ આવરણ ખસી જાય ત્યાં સુધી શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. મુક્તિ નિદાનઃ-મુક્તિનો હેતુ. ગાથા - ૨૮ વૃત્તિ - આત્મા અને કર્મનો સંયોગ - એ બંનેના સંયોગમાં આત્મામાં તરંગો ઊઠે છે એ તરંગોનું નામ વૃત્તિ. આત્મા અને કર્મના સંબંધથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ છીએ. રાગ, દ્વેષ, તિરસ્કાર, મૂછ, મમત્વ, અહંકાર, ધિક્કાર, બીજાનું અહિત થાય, તે દુઃખી થાય, બદલો લેવો તે બધા વૃત્તિઓના પ્રકાર છે. આ વૃત્તિઓનો નિરોધ કરવા માટે વ્રતો કરવા ઉપયોગી છે. વ્રતો, વૃત્તિઓને જીતવાની દવા છે. આ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓથી ખાલી થવું, વૃત્તિઓની પુનરાવૃત્તિ ન થવા દેવી, વૃત્તિઓનો અભાવ કરવો. હિંસા એક વૃત્તિ છે માટે અહિંસાની સાધના કરવી. સંગ્રહ કરવાની વૃત્તિ છે માટે અપરિગ્રહની સાધના કરવી. ક્રોધની વૃત્તિ જ્યારે ઊઠે છે ત્યારે અંદર વૃત્તિના સંસ્કાર પડે છે અને જ્યારે જ્યારે અનુકૂળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy