SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ ત્યારે તેને તેની મૂળ અવસ્થા યાદ આવે અને મૂળ અવસ્થા યાદ કરવાથી તે પ્રાપ્ત કરવાનું મન થાય. બહાર ગમે ત્યાં ગયા હો પણ ઘર યાદ આવે એટલે એમ થાય કે હવે ઘરે જ જવું છે. મિત્રો કહેશે આગળ જઈએ, પણ તે કહેશે કે ના, હવે ઘેર જ જવું છે; તેમ સ્વરૂપ યાદ આવે એટલે માયામાંથી પાછો વળે. હવે આ સંસારમાં નહીં રહેવાય, અમને અમારું ઘર યાદ આવ્યું, સ્વરૂપ યાદ આવ્યું. આ ઘર યાદ આવી જાય એટલે મોક્ષની કામના જાગે, અને ત્યારે ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં પરિભ્રમણ કરતું હતું, તે મન સૂક્ષ્મપણે તત્ત્વ વિચાર કરવાના કામમાં લાગી જાય. તે દિવસે મન મળ્યું તે સાચું. મન મોટું સાધન છે અને તે જ્યારે તત્ત્વ વિચારની સાધના સૂક્ષ્મપણે કરતું થાય ત્યારે તેનાથી આત્મસુખની ઝાંખી થાય. હવે પછી ૪૧મી ગાથામાં આ સુવિચારણા શું પરિણામ લાવે છે ? તે કહેશે. સુવિચારણાથી સ્વજ્ઞાન અને સ્વજ્ઞાનથી મોહનો જય અને મોહના જયથી મોક્ષના માર્ગે સડસડાટ ગાડી ચાલે ને સીધા મોક્ષમાં. અત્યારે તો કલ્પના કરીને મઝા માણીએ. આ માર્ગ છે, આ રસ્તો છે અને સાધક આ માર્ગે જાય તેવી શુભેચ્છા. હવે પછી આ માર્ગની વધુ વિચારણા થશે. વાત કઠિન લાગે તો પણ આ વાત સમજવા કોશિશ કરજો. આ વાતને સમજ્યા વગર આગળ વધાશે નહીં.અનિવાર્યપણે સમજવું જ પડશે, અને સમજી શકો તેવો અવસ૨ મળ્યો છે, તેનો લાભ લઈ લેજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy