SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કેમ? તો કહે રોગ મટશે નહિ, સનેપાત થશે અને રોગ વધશે. રોગ મટવા માટે એક અવસ્થા જોઈએ કે જે અવસ્થામાં રોગ મટી શકે. તો સાધકની પણ એવી દશા જોઈએ કે જે અવસ્થામાં સદ્ગુરુ બોધ આપે તે બોધ પરિણમે. તમે અનેકવાર ઉપદેશ સાંભળ્યો છે. સમવસરણમાં પણ બેઠા હશો. તીર્થંકર દેશના આપે તે આપણે સાંભળી છે. જરા કડક ભાષામાં અખાએ કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યાં કાન, તોયે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.” અનેકવાર જિનવાણી સાંભળી, કાન ઉપર શબ્દો આવ્યાં. તોયે પરિણમન ન થયું. દૂધપાક તો ખાધો પણ પચ્યો નહિ, દૂધપાક ખરાબ નથી, પણ પચે નહિ તો શું થાય? સદ્ગુરુ મળ્યાં, પણ તેમનો બોધ આપણામાં પરિણમન ન પામે તો આનંદ ક્યાંથી થાય? “આવે જ્યાં એવી દશા', જાણે ઘટના ઘટતી હોય, અને કૃપાળુદેવ જોતાં જોતાં કહેતાં હોય, જો આ કષાયની ઉપશાંતતા થઈ, મોક્ષ અભિલાષ થયો, આ ભવે ખેદ થયો, અને પ્રાણી દયા થઈ, તો જીવ તૈયાર થયો. દશા એવી આવી કે તેને સગુનો જોગ થયો, તેમની ઓળખાણ થઈ, એમની પાસેથી બોધ મળ્યો, અંદરમાં પરિણમન થયું, અને અંતરરોગ મટ્યો. તમે દવા કે ભસ્મ લો, અને ભસ્મ અંદર અસર કરે તેને પરિણમવું કહેવાય. તમે તમારા દીકરાને શિખામણ આપો અને દીકરો એ પ્રમાણે કરે તો તમારી શિખામણ પરિણમી કહેવાય. સદૂગુરુનો બોધ પરિણમવો જોઈએ. સાંભળો અને શ્રવણ કરો તે આનંદની વાત, પણ તે બોધ પરિણમવો જોઈએ એટલે કે બોધની અસર થવી જોઈએ. કોઈ ખેડૂતને પૂછો કેટલા વીઘામાં જીરું વાવ્યું? તે કહે દશ વીઘામાં. ઉત્પાદન કેટલું થયું? તે કહે પાંચ કિલો, તો ખોટનો ધંધો થયો. સગુનો બોધ ન પરિણમ્યો કારણ? દશા જોઈએ તે પ્રમાણે ન હતી. સદ્ગુરુની ચિંતા ન કરશો. જીવનમાં ચાર ફેક્ટર તૈયાર જોઈએ. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ.” આ પ્રેક્ટીકલ તમે કરશો, અને જીવનમાં સિદ્ધ જો કરશો તો સદ્ગુરુ બારણે આવી ટકોરા મારશે. અને તે પહેલાં સદ્ગુરુ આવશે તો તમે જ કહેશો, “અમને ટાઈમ નથી” આગળ વર્ણવી તેવી દશા જો આવે, તો સદ્ગુરુનો બોધ પરિણામ પામે. આના માટે શબ્દ વાપર્યો છે “સુહાય.’! સુહાય એટલે શોભે. અને એ બોધ જ્યારે પરિણામ પામે ત્યારે શું થાય? તે બોધથી સુવિચારણા પ્રગટે, પ્રાપ્ત થાય. સગુરુનો જોગ થયો, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ, એવી દશા આવી ત્યારે સદ્ગુરુનો બોધ પરિણમ્યો. “તે બોધ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.” ફરી, એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારણા પ્રાપ્ત થાય. જ્યારે એવી સુવિચારણા આવે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy