SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ, અનાદિ, અબાધિત, શિવશંકરકા ભેટા. અનુભવ જ્યારે થશે ત્યારે રોગ હોય કે ન હોય તે અમે નિશ્ચિત કહી શકતાં નથી, દેહમાં વ્યાધિઓ થાય છે, તેની અમે ના પાડી શકતાં નથી. પરંતુ એક વાત જરૂર છે કે જ્ઞાની પુરુષોને મનનાં રોગો નથી. ઈર્ષા, વાસના, અહંકાર, માયા, લોભ, દ્વેષ, આસક્તિ, હિંસા, અનાચાર એ બધાં મનનાં રોગો છે. અનુભવ થયા પછી આ મનનાં રોગો ન હોય. બીજું લક્ષણ - ગમે તે પ્રસંગ હોય, કે ગમે તે ઘટના હોય, ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય, સંયોગ કે વિયોગ થાય, તે પ્રતિકૂળ કે અનુકૂળ હોય પણ એ અંદરથી હલે નહિ. અંદર શોક નથી. ત્રીજું લક્ષણ લોકવાદઃ અત્યારસુધી જે કુળ અને પરંપરામાં જનમ્યો, જે મત, માન્યતા અને સંપ્રદાયમાં જનમ્યો, એનો જ તેણે સ્વીકાર કર્યો હોય, અને વર્ષો સુધી આગ્રહ સેવ્યો હોય તે આગ્રહ હિંમત કરી તેને છોડવો પડે. આમ તો ઘણી હિંમત છે પણ આ મોટી હિંમત છે. આ અભિનિવેશ-મિથ્યાત્વ છોડવું, તેમાં હિંમત અને પુરુષાર્થ ઘણો જોઈએ. અનંતકાળથી વિપરીત માનતો આવ્યો છે, તે છોડવું પડે, એવો વિચાર તે કરે છે અને બીજો વિચાર એ પણ કરે છે કે મને પ્રત્યક્ષ સગુની પ્રાપ્તિ થાય. આત્માર્થી કેવો હોય? આત્માર્થી અવસ્થા એક એવી અવસ્થા છે કે તેમાં તેને આત્માનું હિત કરવું છે. આત્માનું હિત કરવું એટલે એની પર્યાય શુદ્ધ કરીને એ પર્યાયમાં સમગ્ર આત્માનો સ્વાનુભવ કરવો. આ સમજવામાં કંટાળો ન કરશો. આ તમારે જાણવું પડશે. આ તમારો પાયો છે, આ તમારી મૂડી છે, ખજાનો છે. જૈનદર્શન દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ શબ્દો ઉપર ઊભું છે. જૈનદર્શનમાં ચાર અનુયોગ છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. બાકીના ત્રણ અનુયોગ દ્રવ્યાનુયોગ સ્પષ્ટ કરવા માટે છે. આત્માર્થીને એમ થાય છે કે મારી અવસ્થા એવી આવે કે મારું દ્રવ્ય પણ શુદ્ધ હોય, ગુણ પણ શુદ્ધ હોય અને સાથે મારી પર્યાય પણ શુદ્ધ હોય. એ પણ સમજાયું કે દ્રવ્ય શુદ્ધ જ છે, ગુણો પણ શુદ્ધ છે અને જે કંઈ વિકૃતિ છે તે પર્યાયમાં છે. પર્યાય અશુદ્ધ છે. તે પર્યાયની અશુદ્ધિ દૂર કરવી છે. અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે, એવી શુદ્ધ પર્યાયમાં વિરાટ આત્મદ્રવ્યનો સ્વાનુભવ થાય છે, એવો સ્વાનુભવ મારે કરવો છે. એવી ઝંખના જેનામાં જાગી છે અને એ ઝંખના જાગ્યા પછી, તેના માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા જે તૈયાર થયો છે તેને કહેવાય છે આત્માર્થી. આ લક્ષણો આત્માર્થીના છે. આત્માર્થીને આત્માર્થ સાધવો હોય તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જોઈએ. આ અધ્યાત્મની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy