SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહ્યું છે કે આત્મા જ આત્માનો મિત્ર છે, અને આત્મા જ આત્માનો શત્રુ છે, માટે તારા ઉપર તું કાબૂ મેળવ અને તું તારી સ્વતંત્રતાને પ્રાપ્ત કર. અધ્યાત્મમાં પોતાની કૃપાનો, પોતાના અનુગ્રહનો અને પોતાના પુરુષાર્થનો કાબૂછે, પણ જીવ ઊંધું કરે છે. કોઈને પૂછીએ કે “તમે ધ્યાન કેમ નથી કરતા?' તો કહેશે કે “ભાગ્યમાં લખ્યું હોય તો થાય ને.” “તમે માળા કેમ નથી કરતાં?” –“એવાં પુણ્ય પ્રાપ્ત કર્યા હોય તો થાય ને.” “ભગવાનનાં મંદિરમાં કેમ નથી જતાં?' -“એવાં નસીબ હોય તો જવાય ને.' સીનેમામાં જવાનું તમારું પુણ્ય છે, ટીકીટ ન મળે તો બે કલાક લાઈનમાં ઊભા રહેવાનો તમારો પુરુષાર્થ છે. બે કલાક બગાડે ત્યાં પુણ્ય છે, અને મંદિર જવામાં શું નસીબ આડું આવે છે? અધ્યાત્મ ક્ષેત્રમાં તમારા પુરુષાર્થનું નિયંત્રણ છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો કાબૂછે. આ એટલા માટે વાત કરીએ છીએ કે આ ગાથામાં જે સાધના કરવાની છે તે પુરુષાર્થની છે. પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. આ એક અખંડ, દિવ્ય, અલૌકિક અને સર્વશ્રેષ્ઠ સાધના છે, અને માટે જ અમે સ્પષ્ટીકરણ કરીએ છીએ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો પોતાનો અધિકાર છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો અધિકાર છે. કદાચ આ વાત તમારે ગળે ન પણ ઊતરે, પણ મને આ કહેતાં મૂંઝવણ થતી નથી, કારણ કે શાસ્ત્રનું આ પ્રમાણ છે. તમે પણ એમ વિચારજો, મનન કરજો અને મનને બિનજરૂરી વિકલ્પોમાં અટવાવવા ન દેશો. બીજું સૂત્ર - આધ્યાત્મિક સાધનાને અનુકૂળ તમામ ભૌતિક સાધનો એટલે મનુષ્યનું શરીર, પાંચ ઈન્દ્રિયો, આર્યદેશ, ઉત્તમ, પવિત્ર કુળમાં જન્મ, સંસ્કારી માતા પિતા, સુખેથી જીવી શકાય તેવી સામગ્રી અને સદ્ધર્મનો યોગ આ બધું જ મેળવી આપવાનું કામ પુણ્ય કરે છે, એમાં ના નહિ, પણ આધ્યાત્મિકતામાં તમારા પુરુષાર્થનું કામ છે. સંકલ્પ અને સમાજનું કામ છે, વિવેકનું કામ છે. જેઓને ભોગો જ ભોગવવાં છે, સંસારમાં ગળાડૂબ ડૂબવું છે, તેવાં લોકોને આવી સામગ્રી મળવા છતાં પણ તેનો ઉપયોગ તેઓ ભોગો માટે કરે છે, કારણ કે આધ્યાત્મિક સમજ તેમની પાસે નથી. આના ઉપરથી એક સિદ્ધાંત નક્કી થાય છે કે આધ્યાત્મિક સાધનામાં પ્રાપ્ત થતી સિદ્ધિ એ સંકલ્પથી મળે, એ પુરુષાર્થ અને અનુગ્રહથી મળે. ત્રીજી વાત - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પુણ્યથી થતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ દર્શનમોહનો ઉપશમ થવાથી થાય છે. દર્શનમોહનો ઉપશમ થાય તો સમ્યગ્દર્શન થાય. તમે પુરુષાર્થ એટલે સાહસ કરો તો સમ્યગદર્શન થાય. ગ્રંથિભેદ થાય તો સમ્યગદર્શન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy